આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે

આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 6:35 PM

AHMEDABAD : ગુજરાતની હોસ્પિટલો માટે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટે 108ની જેમ એક જ નંબર જાહેર કરાશે અને આ માટે એક કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવશે.આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્યપ્રધાન આ સમસ્યાઓ અંગે થયેલી રજૂઆત અને તેના અનુસંધાને આપવામાં આવેલા આદેશોનું સીધું મોનિટરીંગ કરશે.

ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટેના આ નંબરથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી હાલાકીઓ બાબતે સુધારો આવશે. હોસ્પિટલોમા પાણી, ગંદકી, શૌચાલય, લાઇનો, સ્ટાફના અયોગ્ય વર્તન અને હોસ્પિટલમા પડતી કોઇ પણ અગવડો બાબતે ફરિયાદ કરી શકાશે.

આજે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં 75 કરોડના ખર્ચે વિકસાવેલા રેડિયોથેરાપીના અધતન ટેકનોલોજી યુક્ત ઉપકરણોનું લોકાર્પણ કર્યું. આ તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે.

આ ઉપરાંત આજે આરોગ્યપ્રધાને ઓક્સિજન જનરેટર (PSA) પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, જેની મદદથી હવામાંથી મશીન દ્વારા ઓક્સિજન જનરેટ કરવામાં આવશે.જેની ક્ષમતા 620 લીટર પ્રતિ મિનીટની છે. જે અંદાજીત રૂ. 1.50 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે

આ પણ વાંચો : PORBANDAR : બે મોટા ઔધોગિક એકમો બંધ થતા મજૂરોનો રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો, જિલ્લામાં મંદીનો માહોલ છવાયો

 

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">