વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ‘આપ’ના 3 હજાર કાર્યકર ભાજપમાં જોડાશે

આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:18 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે હવે કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આપ દ્વારા પણ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરુઆત થઇ ગઇ છે. ચૂંટણી પહેલા હજુ તો આપ (AAP) ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા જઇ રહ્યુ છે. જો કે ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપ (BJP)માં જોડાવાના છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. ગુજરાતના રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની જાણે મોસમ શરૂ થઈ છે. હવે માહિતી સામે આવી છે કે, આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ સૌથી ફટકો ગણી શકાય. કારણકે અગાઉ પણ વિજય સુંવાળા સહિતના ઘણા જાણીતા આગેવાન પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભાજપનો સથવારો લઇ ચુક્યા છે.

બીજી તરફ કાર્યકરો ભાજપમાં જોડાય તે પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું, આપના કોઈ નેતાઓની ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે અને જે લોકો ભાજપમાં જોડાવાના છે તે તમામ કાર્યકરોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે હવે આ વાત કેટલી સાચી અને કેટલી અસત્ય એતો વિધાનસભાની ચૂંટણીમાં જ પરિણામ થકી જણાશે.

આ પણ વાંચો-

Bhavnagar: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પાલિતાણા તાલુકાની શાળાના બાળકોનો ડંકો, ચેકડેમમાં પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધા જીતી

આ પણ વાંચો-

Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે કરી અપીલ

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">