AHMEDABAD : અમિત શાહની ઉપસ્થિતિમાં સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ

|

Dec 11, 2021 | 7:07 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજે શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

AHMEDABAD : અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ થશે. જેમાં આજે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે.. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. સવારે 9 કલાકે 51 કરોડ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા યોજાશે.વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થશે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે.

ભાજપના ધારાસભ્ય અને ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજની કુળદેવી માતા ઉમિયાને સમર્પિત મંદિર અને અન્ય ઈમારતો 74,000 ચોરસ વર્ગ જમીનમાં બાંધવામાં આવશે. તેના પર 1,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજે શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ બાંધશે.

બાદમાં સાંજે અમિત શાહ સોલા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલ્વે ઓવરબ્રિજ અને પાણી વિતરણ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો : GUJARAT : છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 34,700 નવી કંપનીઓ ખુલી, દેશમાં 8માં ક્રમે રહ્યું ગુજરાત

આ પણ વાંચો : સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

Next Video