OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો, નવા 24 કેસ સાથે રાજ્યમાં કુલ 73 કેસ થયા

Omicron in Gujarat :રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 9:14 PM

GANDHINAGAR : ગજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો ગઈકાલે 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા હતા અને આજે 200ને પાર 204 નવા કેસ નીધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 948 હતા, જે આજે વધીને 1086 થયા છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાની સાથે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના કેસોમાં પણ વધારો થયો છે.

આજે ગુજરાતમાં ઓમિક્રોનના 24 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનના 24 નવા કેસો નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 13 ઓમિક્રોન કેસ, ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 નવા કેસ અને અમરેલી, આણંદ, ભરૂચ અને વડોદરામાં નવો 1-1 કેસ નોંધાયો છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 8 પુરુષ અને 8 સ્ત્રી, કુલ 13 ઓમિક્રોન સંક્રમિત. આમથી 9 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.

2) અમરેલીમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

3) આણંદમાં વિદેશથી આવેલી એક મહિલા સંક્રમિત થઇ છે.

4) ભરૂચમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

5) ગાંધીનગરમાં ઓમિક્રોનના 4 નવા કેસ આવ્યાં છે, જેમાં 1 પુરુષ અને 3 મહિલા છે. આ તમામ વિદેશથી આવ્યાં છે.

6)રાજકોટ શહેરમાં 3 પુરુષો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય પુરુષો ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે.

7) વડોદરામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">