ખેડૂતોએ આવક વધારવા માત્ર આટલું જ કરવાનું છે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપી સલાહ

|

Jan 04, 2022 | 6:22 PM

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વધુમાં વધુ સંશોધન દ્વારા કૃષિનો વિકાસ એ રીતે થવો જોઈએ કે યુવાઓ તેની તરફ આકર્ષાય. આ રીતે નવી રાજગારીનું સર્જન થઈ શકે છે.

ખેડૂતોએ આવક વધારવા માત્ર આટલું જ કરવાનું છે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપી સલાહ
Flower Farming (File Photo)

Follow us on

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Union Agriculture Minister Narendra Singh Tomar) કહ્યું છે કે ખેડૂતોએ તેમની આવક વધારવા માટે ફૂલની ખેતી (Flower Farming) તરફ આગળ વધવું જોઈએ. આવક વધારવા માટે વેલ્યુ એડિશન (Value addition)પણ કરવું પડશે. વધુને વધુ ખેડૂતોએ આ ખેતી અપનાવવી જોઈએ અને તેને પ્રોસેસિંગ સાથે પણ જોડવું જોઈએ. તેમણે મંગળવારે પુનામાં ઈન્ડિયન ફ્લોરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Indian Floral Research Institute)માં પાયાની સુવિધા તરીકે લેબોરેટરી બિલ્ડિંગના લોકાર્પણ વખતે આ વાત કરી છે.

તોમરે કહ્યું કે, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમોમાં ફૂલોની જરૂરિયાત હજુ પણ છે. નિકાસ (export)ના દૃષ્ટિકોણથી ફૂલના વ્યવસાયમાં પણ ઘણો અવકાશ છે. આપણા દેશની વૈવિધ્યસભર આબોહવા એટલી સમૃદ્ધ છે કે ફ્લોરીકલ્ચર (floriculture) ઘણો વિકાસ કરી શકે છે. તેમણે ગુલાબમાંથી ગુલકંદ અને અન્ય ફૂલોના વેલ્યુ એડેડ ઉત્પાદનો તૈયાર કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે.

સરકાર ફ્લોરીકલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે
તોમરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઘણી યોજનાઓ બનાવી છે. જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ સાથે ખેડૂતોએ ટેકનિકલી પણ મજબૂત બનવું પડશે. ફ્લોરીકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. તેમણે વેસ્ટ ટુ વેલ્થ મિશનનો ઉલ્લેખ કર્યો અને એ પણ કહ્યું કે કૃષિ ઉત્પાદનો વૈશ્વિક ધોરણો હોવા જોઈએ.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

ફૂલોની સુગંધ ઓછી ન થાય તેનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોને સલાહ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વધુમાં વધુ સંશોધન દ્વારા કૃષિનો વિકાસ એ રીતે થવો જોઈએ કે યુવાઓ તેની તરફ આકર્ષાય. આ રીતે નવી રાજગારીનું સર્જન થઈ શકે છે. તોમરે કૃષિ વૈજ્ઞાનિકોને (Agricultural scientists) જણાવ્યું હતું કે, નવી જાતોના વિકાસ અને સંશોધનમાં ફૂલોની સુગંધ ઓછી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સુગંધનું પોતાનું મહત્વ છે.

નવી જાતોને લોકપ્રિય બનાવવાની જરૂર છેઃ કૃષિ રાજ્ય મંત્રી
આ પ્રસંગે, કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ લેબ ટુ લેન્ડ ( Lab to Land )પહેલ દ્વારા ખેડૂતોમાં નવી જાતોને લોકપ્રિય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના વૈજ્ઞાનિકોની વધુ સારી જાતો અને તકનીકો વિકસાવવા બદલ પ્રશંસા કરી.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીએ માનવ વાળમાંથી બનાવ્યું ઓર્ગેનિક ખાતર, જમીનમાં ફળદ્રુપતા વધારવાથી લઈ આટલું છે ઉપયોગી

આ પણ વાંચોઃ Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી

Next Article