સિંહ રાશિના લોકો માટે શનિદેવ છઠ્ઠા અને સાતના સ્વામી થઇને સપ્તમમાં ગોચર કરી રહ્યા છે, શનિનું માર્ગી થવું તમારા માટે સારા પરિણામ આપશે. વેપારીઓની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વિવાહિત જીવનમાં સમસ્યાઓ દૂર થશે. લાભના માર્ગો ખુલશે. આળસથી દૂર રહો. નવો ધંધો શરૂ કરી શકો છો. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. ક્રોધ અને ઝઘડાથી બચો.