અહીં મા બહુચરાના આશીર્વાદ લઈને જ ભક્તો કરે છે દિવસની શરૂઆત!

જ્યારે અમદાવાદ શહેર વસ્યું, ત્યારે તેની ફરતે 12 દરવાજા બન્યા અને તે જ સમયે દેવી બહુચરાને પણ અહીં બિરાજમાન કરવામાં આવ્યા. જેથી શહેરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે.

અહીં મા બહુચરાના આશીર્વાદ લઈને જ ભક્તો કરે છે દિવસની શરૂઆત!
Maa Bahuchara (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 27, 2022 | 2:04 PM

જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ । મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતા નર ને નાર ।।

જેના ગુણલા ગાવા શબ્દો પણ ઓછા પડે, જેના બળને બિરદાવવા દિવસ અને રાત પણ ખૂટી પડે, તે માત એટલે જ બિરદાળી બહુચર (bahuchara) માતા. દેવી બહુચર એટલે તો મા ત્રિપુરા સુંદરીનું ‘બાળા ત્રિપુર સુંદરી’ (bala tripura sundari) સ્વરૂપ. સમગ્ર ગુજરાતમાં માતા બહુચરના અનેકવિધ સ્થાનકો આવેલાં છે પણ, અમારે આજે વાત કરવી છે માતાના એ સ્થાનકની કે જ્યાં દેવી બાળા ત્રિપુર સુંદરી રૂપે જ વિદ્યમાન થયા છે. માતાનું આ અત્યંત મનોહારી રૂપ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં બિરાજમાન થયું છે.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રનો કિલ્લો આવેલો છે. મૂળે તો આ સ્થાન દેવી ભદ્રકાળીના સ્થાનક માટે સમગ્ર અમદાવાદમાં પ્રખ્યાત છે પણ, આ જ દેવી ભદ્રકાળીના સાનિધ્યે તો બિરાજ્યા છે મા બાળા બહુચરા. આદિશક્તિ બહુચરાનું આ મંદિર આમ તો ખૂબ જ નાનું છે પણ તેનો મહિમા કંઈક એવો છે કે ભદ્રમાં આવનારા ભાવિકો માના દર્શન બાદ જ તેમના દિવસની શરૂઆત કરતા હોય છે! તેઓ માની આરતી બાદ જ તેમના નોકરી-ધંધાના સ્થળ પર જાય છે! કહે છે કે નિત્ય જ દેવી બહુચરના આ રૂપનું શરણું લેવાથી દિવસના સઘળા કામ નિર્વિઘ્ને પાર પડે છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

અહીં મંદિરમાં માનું અત્યંત મનોહારી સ્વરૂપ સ્થાપિત થયું છે. દંતકથા એવી છે કે જ્યારે અમદાવાદ શહેર વસ્યું, ત્યારે તેની ફરતે 12 દરવાજા બન્યા અને તે જ સમયે દેવી બહુચરને પણ અહીં બિરાજમાન કરવામાં આવ્યા. જેથી શહેરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે.

કહે છે કે દર્શનાર્થીઓને બાળા ત્રિપુર સુંદરી ક્યારેય પણ નિરાશ નથી કરતા. અહીં શ્રીબાલાયંત્ર પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર તેના પ્રતાપે જ આ સ્થાન આજે શ્રદ્ધાળુઓ માટે મનશાપૂર્તિનું ધામ બની ગયું છે. ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે આ બાળા ત્રિપુર સુંદરી અને એ જ ખુશીઓની પ્રાપ્તિ અર્થે સંકટોના શમન અર્થે અને સકારાત્મક ઊર્જાની અનુભૂતિ અર્થે સદૈવ શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા જ રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આખરે ક્યાં જાય છે ગંગામાં વિસર્જન કરેલી રાખ ? જાણો શું છે ધાર્મિક માન્યતા અને તેનું વૈજ્ઞાનિક કારણ

આ પણ વાંચોઃ હનુમાનજીથી લઈને ગણેશજી સુધી કયા દેવની કેટલી થાય છે પ્રદક્ષિણા ? ફટાફટ જાણી લો…

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">