બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ, ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા

|

Oct 08, 2021 | 10:57 AM

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘટનામાં બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે.

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ જવાની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસમાતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટના ઘટતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. હાઈવે પર આ અકસ્માત સર્જાતા તે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. અકસ્માતમાં રિક્ષા અને ટ્રકે આગ પકડી લેતા હાલમાં આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મૃત્યુનો આંક જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતના દ્રશ્યો જ ખુબ બિહામણા લાગી રહ્યા છે.

માહિતી અનુસાર રિક્ષા અને બે ટ્રક વચ્ચે બનેલી આ ઘટનામાં ત્રણથી ચાર લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. મામલતદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો છે. અકસ્માતે રિક્ષામાં બેસેલા લોકોનો ભોગ લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. નજરે જોનારા કહેનારનું કહેવું છે કે પાલનપુર તરફથી આવતી ટ્રક આવી રહી હતી. એ સમયે રિક્ષામાં ત્રણ લોકો હતા. જેમાં બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા કચડાઈ ગઈ હોવાની માહિતી બહાર આવી હતી.

 

આ પણ વાંચો: Banaskantha: ફિલ્મી ઢબે ચકમો આપીને પોલીસની ગાડીમાંથી જ ભાગી ગયો આરોપી, ગંભીર ગુનાઓમાં થઇ હતી ધરપકડ

આ પણ વાંચો: ચિંતાજનક: સમય વિતવા છતાં આટલા લાખ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાની ત્રીજી લહેર સામે કેમ મળશે રક્ષણ?

Published On - 10:38 am, Fri, 8 October 21

Next Video