
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેનના 3A કોચમાં એક મુસાફર પોતાની અપર બર્થ પર બેસીને માત્ર પૂજા જ નહીં, પરંતુ દીવો પણ પ્રગટાવે છે. આ દૃશ્ય જોઈને આસપાસના મુસાફરો ગભરાઈ જાય છે. લોકોએ તેને આવું ન કરવા વિનંતી કરી હતી. પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને પોતાની જિદ પર અડગ રહ્યો.
ભારતીય રેલવેના નિયમો મુજબ ટ્રેનની અંદર માચિસ, લાઇટર અથવા કોઈપણ પ્રકારની આગ પ્રગટાવવી અથવા સલગાવવી પર સખત પ્રતિબંધ છે. ટ્રેનમાં રહેલી બર્થ, ચાદર, ધાબળા અને પડદા જેવી વસ્તુઓ ઝડપથી આગ પકડી શકે છે. આવી સ્થિતિમાં ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવવો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપવા સમાન માનવામાં આવે છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક મુસાફર અપર બર્થ પર દીવો પ્રગટાવીને પૂજા કરી રહ્યો છે. આસપાસ બેઠેલા લોકો તેને સતત સમજાવી રહ્યા છે કે આવું ન કરો, નહીં તો ફાયર એલાર્મ વાગી શકે છે. એક મુસાફરે તો એવું પણ કહ્યું કે, “અગરબત્તી તો બંધ કરાવી દીધી, હવે આ દીવો પણ બુઝાવી દો.” તેમ છતાં, તે વ્યક્તિ પર કોઈ અસર જોવા મળી નહોતી અને તેણે દીવો બુઝાવ્યો નહોતો.
A video circulating on social media shows a passenger performing prayers on the upper berth of an AC train coach while lighting incense sticks and an oil lamp.
A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train’s… pic.twitter.com/79SrmBnAdW
— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026
આ સમગ્ર ઘટનાનો વીડિયો X (Twitter) પર @JharkhandRail નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ સંદેશ કોઈપણ ધર્મ અથવા આસ્થાના વિરોધમાં નથી. પરંતુ માત્ર જાહેર સુરક્ષાનું મહત્વ સમજાવવા માટે શેર કરવામાં આવ્યો છે.