Viral Video: નેપાળ વિમાન દુર્ઘટનામાં UPના 5 મિત્રોના મોત, અકસ્માત પહેલા FB LIVE કર્યું હતું

દુનિયાભરમાં આ ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઈને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 અને વારાણસીના 1 વ્યક્તિનું પણ મોત થયું હતું.

Viral Video: નેપાળ વિમાન દુર્ઘટનામાં UPના 5 મિત્રોના મોત, અકસ્માત પહેલા FB LIVE કર્યું હતું
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:45 PM

નેપાળમાં આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી. આ 72 સીટર વિમાનમાં કુલ 68 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન ક્રેશ થયા બાદ મોટી આગ લાગી હતી. સ્થાનિક લોકો દુર્ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાયા હતા પણ દુખની વાત એ હતી કે આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિંત બચ્યો નથી. શરુઆતમાં 40 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા પણ સાંજ થતા જ આધિકારીક રીતે જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પણ હાલમાં વિમાન દુર્ઘટના પહેલાનો રુંવાટા ઉભા કરી દેતો વીડિયો સામે આવ્યો છે.

દુનિયાભરમાં આ ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઈને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 અને વારાણસીના 1 વ્યક્તિનું પણ મોત થયું હતું. તેઓ આ પ્લેનમાં બેસીને નેપાળ ફરવા જઈ રહ્યાં હતા. આ ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે, જેમાંથી અનિલ રાજભર(27), વિશાલ શર્મા (22), અભિષેક કુશવાહા(25), સંજય જયસ્વાલ (35) અને સોનૂ જયસ્વાલ (35) ના નામ સામે આવ્યા છે.

 

ભારતના 5 યુવકો પૈકી 4 યુવકો ગાઝીપુરના અલાવપુર સિપાહ અને ઘરવા ગામના હતા. આ યુવકો પૈકી એક યુવકે ઘટના સમય પહેલા એફબી લાઈવ કર્યું હતું. જે તેના માટે મોતનું એફબી લાઈવ બની ગયું હતુ. આ લાઈવનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોના રુંવાટા ઉભા થઈ ગયા છે.

નેપાળના પ્લેનમાં મોતનું FB Live

 

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.

ઘટના સમયના આ વીડિયો પણ થયા વાયરલ

 

 

 

વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાને તરત જ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના વિશે પૂછપરછ કરવા માટે રવાના થયા હતા. કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં 10 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.