ટ્રેનમાં વ્યક્તિએ ખરીદ્યા સમોસા, અંદરથી નીકળ્યો પીળો કાગળ, IRCTCએ આ આપ્યો જવાબ

પેસેન્જરે ટ્રેનની (Passenger Train) અંદર સમોસા ખરીદ્યા હતા, પરંતુ સમોસાની અંદરથી બટાકાની સાથે પીળો કાગળ નીકળ્યો હતો. હવે આ મામલે યાત્રીની ફરિયાદ પર IRCTC દ્વારા આપવામાં આવેલા જવાબથી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ નારાજ છે.

ટ્રેનમાં વ્યક્તિએ ખરીદ્યા સમોસા, અંદરથી નીકળ્યો પીળો કાગળ, IRCTCએ આ આપ્યો જવાબ
train samosa
| Edited By: | Updated on: Oct 11, 2022 | 6:49 AM

ભારતીય રેલવેને (Indian Railways) વિશ્વમાં મોટી રેલવે સેવાઓમાંની એક ગણવામાં આવે છે. અહીં દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. જો કે, રેલવે મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓમાં ધીમે-ધીમે વધારો કરી રહી છે. જેમાં સ્વચ્છતાથી લઈને પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે. જો કે, ટ્રેનની અંદર મળી આવતા ખાદ્ય પદાર્થોમાં હજુ પણ ખાસ સુધારો થયો નથી. મુસાફરોનો દાવો છે કે ટ્રેનોમાં ન તો ચા (Tea) ઉપલબ્ધ છે, ન તો ખાવાનું કે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. આનું તાજેતરનું ઉદાહરણ સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક યાત્રીના ભોજનની અંદરથી એક વિચિત્ર વસ્તુ બહાર આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

ખરેખર, પેસેન્જરે ટ્રેનની અંદર સમોસા ખરીદ્યા હતા, પરંતુ બટાકાની સાથે સમોસાની અંદરથી એક પીળો કાગળ નીકળ્યો હતો. હવે આ મામલે યાત્રીની ફરિયાદ પર IRCTC દ્વારા આપવામાં આવેલા જવાબથી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ નારાજ છે.

મામલો એવો છે કે, અજીત કુમાર નામના પેસેન્જરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં આખી ઘટના જણાવી છે. મુસાફરે જણાવ્યું છે કે, તે 9 ઓક્ટોબરે બાંદ્રા-લખનૌ ટ્રેન નંબર 20291 દ્વારા લખનૌ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે IRCTCની પેન્ટ્રીમાંથી એક સમોસા ખરીદ્યા હતા પરંતુ સમોસાનો થોડો ભાગ ખાધા બાદ તેને તેની અંદર એક પીળો કાગળ મળ્યો. તેણે ગુસ્સામાં લખ્યું છે કે, IRCTCની પેન્ટ્રી દ્વારા કેટલો સ્વચ્છ ખોરાક સપ્લાય કરવામાં આવે છે.

જો કે, મુસાફરે ટ્વીટ કર્યા પછી તરત જ તેને IRCTC તરફથી જવાબ પણ મળ્યો, જેમાં લખ્યું હતું, ‘સર, અસુવિધા બદલ માફ કરશો. કૃપા કરીને DMમાં PNR અને મોબાઈલ નંબર શેર કરો.

લોકો આ જવાબથી નાખુશ દેખાઈ રહ્યા છે અને તેઓ આ ટ્વીટ પર અલગ-અલગ પ્રકારના ફની રિએક્શન આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, ‘ભાઈ સાહેબ યેલો પેપર નહીં… ગુટકા કા રેપર લગતા હૈ’ તો કોઈ કહે છે કે ‘માત્ર મુસાફરો જ IRCTC સેવાઓની વાસ્તવિક પીડા અને સ્થિતિ જાણે છે’.