વૃદ્ધાવસ્થામાં ખર્ચની ચિંતા દરેકને હોય છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ રિટાયેરમેન્ટને (Retirement) સિક્યોર રાખવા માટે સુરક્ષિત રોકાણ (Secure investment) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સરકાર એક મહત્વપૂર્ણ યોજના ચલાવી રહી છે. જે આપના રિટાયેરમેન્ટને સિક્યોર કરવામાં આપને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ યોજના છે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY). જેમાં તમે પૈસા લગાવી શકો છો. અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.
જો કે, તે સમયે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ (Investment) કરીને પેન્શન (Pension) મેળવી શકે છે. જેનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તેઓ સરળતાથી તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં થાપણદારો (Depositors) ને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.
અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) એક સરકારી યોજના છે. યોજનામાં કરવામાં આવેલુ રોકાણ તમારી વય પર આધારિત છે. આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન (Monthly Pension) મળી શકે છે. આ એક સુરક્ષિત રોકાણ (Secure Investment) છે. આ યોજનામાં જો તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઈલ હોવો જોઈએ. 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે.
આ માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક અટલ પેન્શન ખાતું હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલા જલ્દી રોકાણ કરશો તેટલો વધુ તમને ફાયદો મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની વયમાં અટલ પેન્શન યોજના સાથે જોડાય છે તો તેને 60 વર્ષની વય પછી દર મહિને 5000 રૂપિયા માસિક પેન્શન માટે, દર મહિને ફક્ત 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે આ યોજના સારો પ્રોફીટ આપનારી યોજના છે.
આ યોજના સાથે જોડાયેલ કોઈ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થાય છે તો તેમાં કઈ જોગવાઈ છે તે પણ જાણી લો.
આ યોજનામાં એવી જોગવાઈ છે કે જો યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થાય છે,
– તો તેની પત્ની/પતિ આ યોજનામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકે છે.
– એક વિકલ્પ એવો પણ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એક સાથે પુરી રકમનો દાવો કરી શકે છે.
– જો પત્નીનું પણ મૃત્યુ થાય છે તો તેના નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Kam Ni Vaat : PM Kisan Schemeના લાભાર્થીએ ઘરે બેઠા કેવી રીતે કરવું e-KYC, કેવી રીતે જાણી શકશો સ્ટેટસ, જાણો સરળ સ્ટેપ
આ પણ વાંચો : Kam ni vaat : સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં આ નિયમમાં આવેલા ફેરફારથી જાણો દિકરીઓને શું થશે ફાયદો