
દેશમાં દરરોજ નવા સાયબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ફ્રોડનો શિકાર બની રહ્યા છે. હાલમાં મોટાભાગના ટ્ર્રાન્સેક્શન UPI દ્વારા કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ UPI નો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. NPCIએ ચેતવણી જાહેર કરી છે કે, લોકોએ પોતાના ખાતામાં રૂપિયા મેળવવા માટે ક્યારેય પણ UPI પિન દાખલ કરવાની જરૂર નથી.
ઘણી વખત છેતરપિંડી કરનારાઓ QR કોડ ધરાવતા ફિશિંગ ઈમેઇલ્સ મોકલે છે, જે જાણીતી ઈ-કોમર્સ સાઇટ અથવા બેંક સાથે મળતા આવતા હોય છે. આ ઈમેલમાં સામાન્ય રીતે તમારી છેલ્લી ચૂકવણી ફેઈલ થઈ છે તેથી ફરી ચુકવણી કરો’ અથવા ‘આ QR કોડ સ્કેન કરીને તમારું એકાઉન્ટ સક્રિય કરો’ જેવા મેસેજ હોય છે. લોકો વાત સાચી માની લે છે અને સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે. તેથી UPI QR કોડ દ્વારા ચુકવણી કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે.
સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા લોકોને રૂપિયાની ચુકવણી કરતી વખતે QR કોડને સ્કેન કરતી વખતે સાવચેત રહો. તમારો UPI વોલેટ પિન, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો જેવી કે PIN, વન ટાઈમ પાસવર્ડ (OTP), CVV, એક્સપાયરી ડેટ કે કાર્ડનો પ્રકાર કોઈની સાથે શેર કરશો નહીં.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો