Right to Repair: શું હવે ગમે ત્યાં રિપેર કરી શકાશે સ્માર્ટફોન, વોરંટી નહીં થાય બેકાર?

મોબાઈલ ફોન હોય, લેપટોપ હોય કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ, હવે તમારે તેને રિપેર કરાવવા માટે રાહ જોવી પડશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રાલયે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે. અહીં તમને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સંબંધિત ઘણી બધી માહિતી મળશે.

Right to Repair: શું હવે ગમે ત્યાં રિપેર કરી શકાશે સ્માર્ટફોન, વોરંટી નહીં થાય બેકાર?
Right to Repair
| Edited By: | Updated on: May 06, 2023 | 5:15 PM

તમારો ફોન અધિકૃત સ્ટોર સિવાય અન્ય જગ્યાએથી રિપેર કરાવ્યો છે? શું તમારા ડિવાઈસની વોરંટી સમાપ્ત થશે? ના, હવે નહીં થાય. વોરંટી શરતોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ માટે સરકારે એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. હકીકતમાં, ગ્રાહકોની સુવિધા માટે સરકાર રાઈટ ટુ રિપેરની નવી પોલિસી લાવી છે. મોબાઈલ ફોન હોય, લેપટોપ હોય કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ, હવે તમારે તેને રિપેર કરાવવા માટે રાહ જોવી પડશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રાલયે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે. અહીં તમને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સંબંધિત ઘણી બધી માહિતી મળશે.

આ પણ વાંચો: King Charles Coronation: બ્રિટન મંદીની ગર્તામાં પણ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી પાછળ ખર્ચશે 1 હજાર કરોડ ! કથળતી અર્થ વ્યવસ્થાને પડતા પર પાટુ

રાઈટ ટુ રિપેર પોર્ટલના ફાયદા શું છે?

તમને આ ઓનલાઈન પોર્ટલ પર સેલ્ફ-રિપેર મેન્યુઅલ અને અધિકૃત થર્ડ પાર્ટી રિપેર પ્રોવાઈડર્સની વિગતો મળશે. તેની મદદથી વપરાશકર્તાઓ તેમના લેપટોપ, સ્માર્ટફોન અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સ્થાનિક દુકાનો પર રિપેર કરાવી શકે છે. આ તેમની વોરંટી ખતમ કરશે નહીં. આ પોર્ટલ પર ચાર સેક્ટર ફાર્મિંગ ઈક્વિપમેન્ટ, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓટોમોબાઈલ ઈક્વિપમેન્ટ આ પોર્ટલ પર જોવા મળશે.

તમને રાઈટ ટુ રિપેર પોર્ટલ પર ઘણી સેવાઓનો વિકલ્પ મળશે. આમાં પ્રોડક્ટ રિપેયર, જાળવણી અને પાર્ટ રિપ્લેસમેન્ટ અને વોરંટી માહિતી શામેલ હશે. ઉપભોક્તા આ વિગતોને ઍક્સેસ કરી શકે છે. યુઝર્સે પહેલા રાઈટ ટુ રિપેરની સત્તાવાર વેબસાઈટ https://righttorepairindia.gov.in/index.phpની મુલાકાત લેવી પડશે. અહીં તમને તમામ કંપનીઓનો વિકલ્પ મળશે જ્યાંથી તમે વિગતો મેળવી શકો છો.

વોરંટી બેકાર નહીં થાય?

તમે વેબસાઈટની મુલાકાત લેતાની સાથે જ તમને કસ્ટમર કેર, અધિકૃત સ્ટોર્સ, રિપેર મેન્યુઅલ અને વોરંટીની વિગતો મળશે. રિપેર કરવાના અધિકારનો અર્થ એ નથી કે જો તમે ફોન સાથે કંઈપણ કરશો તો તેની વોરંટી સમાપ્ત થશે નહીં. જો તમે ફોનમાં લોકલ પાર્ટ્સ અથવા ડુપ્લિકેટ પાર્ટ્સનો ઉપયોગ કરો છો, તો ચોક્કસપણે તમારા ફોન અથવા અન્ય ઉપકરણની વોરંટી બેકાર થશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…