ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન

Mission chandrayaan 3 : ભારતના મિશન ચંદ્રયાન-3 માટે આગામી  કલાકો મહત્વના રહેવાના છે. ISRO આગામી ઓપરેશન 16 ઓગસ્ટે કરશે. આ સિવાય 17 ઓગસ્ટનો દિવસ પણ મહત્વનો રહેશે. આ દિવસોમાં ચંદ્રયાન 3, ચંદ્રની વધુ નજીક આવશે.

ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન
Chandryaan 3 mission
Image Credit source: ISRO
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:54 PM

ISRO : તમામ દેશવાસીઓ ભારતના મિશન ચંદ્રયાન-3ની સફળતાની રાહ જોઈ રહ્યા છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ત્રીજી વખત ઘટાડવામાં આવી હતી. એટલે કે ચંદ્રયાન-3 (Chandrayaan 3)  હવે દરેક પસાર થતી ક્ષણ સાથે ચંદ્રની નજીક જઈ રહ્યું છે. તેનું દરેક પગલું ઐતિહાસિક સફળતા તરફ આગળ વધી રહ્યું છે.

આ મિશન માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર કેન્દ્રિત છે. ઈસરો તરફથી મળેલી માહિતી અનુસાર, હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પરિક્રમાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ચંદ્રયાન લંબગોળ ભ્રમણકક્ષામાંથી ગોળાકાર ભ્રમણકક્ષામાં આવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : Chandrayaan 3 : હવે ચંદ્રથી થોડા જ અંતરે છે ચંદ્રયાન, ઈસરોને મળી સફળતા, પાછી ભ્રમણકક્ષા બદલાઈ

 


આ પણ વાંચો :  Chandrayaan 3: આજે ચંદ્રયાન 3 મારશે મોટી છલાંગ, ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ, ઈસરોની તૈયારી પૂર્ણ

ઈસરો આગામી ઓપરેશન 16 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે કરશે.  બેંગલુરુમાં ISROના હેડક્વાર્ટરના વૈજ્ઞાનિકો ચંદ્રયાનના થ્રસ્ટરને ફાયર કરશે અને તેને 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં લાવશે. 17 ઓગસ્ટ ચંદ્રયાન-3 મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

 

 


17 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે, ત્યારબાદ ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવશે અને 100 x 30 કિમીની ભ્રમણકક્ષામાં વધુ ઝડપ ઘટાડવાનું શરૂ કરશે. આ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થાય છે. 23 ઓગસ્ટે સાંજે લગભગ 5:30 વાગ્યે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે.

આ પણ વાંચો : Chandrayaan 3 : ચંદ્ર પર અન્ય 6 મિશન પહેલેથી જ સક્રિય, ચંદ્રયાન-3 માટે કેટલો મોટો ખતરો ?

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો