આ ડબલ ઋતુમાં AC ચલાવવામાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર થઈ શકે છે બ્લાસ્ટ

AC માં વિસ્ફોટ ઘાતક હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, આવા અકસ્માતોમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ACમાં આગ લાગી જાય છે, પરંતુ એ જરૂરી નથી કે તરત જ વિસ્ફોટ થાય. જો કે, સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ ડબલ ઋતુમાં AC ચલાવવામાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર થઈ શકે છે બ્લાસ્ટ
AC Tech Tips
| Edited By: | Updated on: May 03, 2023 | 2:07 PM

ઉનાળામાં દરેક વ્યક્તિ ઠંડક મેળવવા માટે બેચેન હોય છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતા જ એર કંડિશનર (AC) ની માગ ઘણી વધી જાય છે. જોકે, એસી પણ એક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે અને તેમાં હંમેશા આગ લાગવાનું જોખમ રહેલું છે. ACમાં વિસ્ફોટ ઘાતક હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, આવા અકસ્માતોમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ACમાં આગ લાગી જાય છે, પરંતુ એ જરૂરી નથી કે તરત જ વિસ્ફોટ થાય. જો કે, સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: નરોડા ગામ હત્યાકાંડમાં આરોપીઓને નિર્દોષ કેમ જાહેર કરાયા તેને લઈ ચુકાદામાં ન્યાયાધીશે મહત્વનું અવલોકન કર્યું

એર કંડિશનરનો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. ભારત જેવા દેશોમાં એર કંડિશનરનું ચલણ વધી રહ્યું છે. તેથી, તેમાં વિસ્ફોટનું જોખમ પણ વધી રહ્યું છે. જો તમારા ઘરમાં પણ AC છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. આ ફક્ત તમારા AC પરફોર્મન્સમાં સુધારો જ કરશે નહીં, પરંતુ તમારી સલામતી પણ સુનિશ્ચિત કરશે.

AC માં બ્લાસ્ટ કેમ થાય છે?

AC માં બ્લાસ્ટ થવાના કેટલાક કારણો હોઈ શકે છે, જેની માહિતી અમે નીચે આપી રહ્યા છીએ.

  • જૂના અને નબળી ગુણવત્તાવાળા એસીનો ઉપયોગ.
  • કોમ્પ્રેસરમાં ગંદકી. આનાથી કોમ્પ્રેસર જામ થઈ શકે છે.
  • રૂમની સાઈઝ પ્રમાણે AC ક્ષમતાનો અભાવ.
  • એસીમાંથી ગેસ લીક ​​થવો અથવા રૂમની અંદર અથવા એસીમાં જામ થવો.
  • જો AC લાંબા સમય સુધી સતત ચાલશે તો AC પર દબાણ વધી જશે. તેના કારણે તે ગરમ થશે અને શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે.
  • વીજળીના હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો પર દબાણ મૂકે છે.
  • લાંબા સમયથી એસી સર્વિસ ન કરાવવી.
  • વીજળી કે વરસાદ દરમિયાન એસી ચલાવવું. જો અર્થિંગ સિસ્ટમમાં ખામી હોય તો એસીમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.

ACમાં વિસ્ફોટથી કેવી રીતે બચી શકાય?

એસીમાં બ્લાસ્ટ જેવી ઘટનાઓથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • પ્રોફેશનલ દ્વારા નિયમિત એસી સર્વિસ કરાવો.
  • રૂમની સાઈઝ પ્રમાણે યોગ્ય ક્ષમતાનું AC રાખો.
  • ટોચની અને વિશ્વસનીય બ્રાન્ડ્સમાંથી AC ખરીદો.
  • સતત AC ન ચલાવો અને વચ્ચે બ્રેક લેતા રહો.
  • વીજળી કનેક્શન, સોકેટ્સ અને ફિલ્ટર્સ નિયમિતપણે તપાસો.
  • ઉચ્ચ વોલ્ટેજ ટાળવા માટે ઘરે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરો.

વરસાદ અને વાવાઝોડા દરમિયાન AC નો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય ઘરની છત પર થન્ડર પ્રોટેક્શન સિસ્ટમ લગાવવી જોઈએ. એક સમયે એટલે કે સતત 8 કલાકથી વધુ AC નો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય આઉટડોર મશીન એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં હવા વહેતી હોય.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…