
ઉનાળામાં દરેક વ્યક્તિ ઠંડક મેળવવા માટે બેચેન હોય છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતા જ એર કંડિશનર (AC) ની માગ ઘણી વધી જાય છે. જોકે, એસી પણ એક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે અને તેમાં હંમેશા આગ લાગવાનું જોખમ રહેલું છે. ACમાં વિસ્ફોટ ઘાતક હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, આવા અકસ્માતોમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ACમાં આગ લાગી જાય છે, પરંતુ એ જરૂરી નથી કે તરત જ વિસ્ફોટ થાય. જો કે, સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: નરોડા ગામ હત્યાકાંડમાં આરોપીઓને નિર્દોષ કેમ જાહેર કરાયા તેને લઈ ચુકાદામાં ન્યાયાધીશે મહત્વનું અવલોકન કર્યું
એર કંડિશનરનો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. ભારત જેવા દેશોમાં એર કંડિશનરનું ચલણ વધી રહ્યું છે. તેથી, તેમાં વિસ્ફોટનું જોખમ પણ વધી રહ્યું છે. જો તમારા ઘરમાં પણ AC છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. આ ફક્ત તમારા AC પરફોર્મન્સમાં સુધારો જ કરશે નહીં, પરંતુ તમારી સલામતી પણ સુનિશ્ચિત કરશે.
AC માં બ્લાસ્ટ થવાના કેટલાક કારણો હોઈ શકે છે, જેની માહિતી અમે નીચે આપી રહ્યા છીએ.
એસીમાં બ્લાસ્ટ જેવી ઘટનાઓથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
વરસાદ અને વાવાઝોડા દરમિયાન AC નો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય ઘરની છત પર થન્ડર પ્રોટેક્શન સિસ્ટમ લગાવવી જોઈએ. એક સમયે એટલે કે સતત 8 કલાકથી વધુ AC નો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય આઉટડોર મશીન એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં હવા વહેતી હોય.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…