Corona Vaccine: આપણા પૂર્વજ ‘ચિમ્પાન્ઝી’નાં મળમાંથી બનેલી વેક્સિનથી થઈ રહ્યો છે કોરોનાનાં ઈલાજ

|

Apr 06, 2021 | 3:30 PM

Corona Vaccine: કોરોના વાયરસથી માણસોને બચાવવા હવે તેમના પૂર્વજોની જ મદદ લેવામાં આવી રહી છે. પૂર્વજ એટલે વાનરોનાં મળનો ઉપયોગ એક વેક્સિનને બનાવવામાં કરાયો છે. માણસોનાં આ પૂર્વજ છે 'ચિમ્પાન્ઝી' (Chimpanzee).

Corona Vaccine: આપણા પૂર્વજ ચિમ્પાન્ઝીનાં મળમાંથી બનેલી વેક્સિનથી થઈ રહ્યો છે કોરોનાનાં ઈલાજ
Corona Vaccine: આપણા પૂર્વજ 'ચિમ્પાન્ઝી'નાં મળમાંથી બનેલી વેક્સિનથી થઈ રહ્યો છે કોરોનાનાં ઈલાજ

Follow us on

Corona Vaccine: કોરોના વાયરસથી માણસોને બચાવવા હવે તેમના પૂર્વજોની જ મદદ લેવામાં આવી રહી છે. પૂર્વજ એટલે વાનરોનાં મળનો ઉપયોગ એક વેક્સિનને બનાવવામાં કરાયો છે. માણસોનાં આ પૂર્વજ છે ‘ચિમ્પાન્ઝી’ (Chimpanzee). આ વેક્સિનનો ઉપયોગ ભારતમાં પણ થઈ રહ્યો છે. આ વેક્સિનમાં ચિમ્પાન્ઝીનાં મળમાંથી કાઢવામાં આવેલા એડિનોવાયરસ(Adenovirus)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જે વેક્સિન માટે વાત ચાલી રહી છે તેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા (Oxford-AstraZeneca) મળીને બનાવી રહ્યા છે. તેને પહેલા AZD1222 નામથી ઓળખવામાં આવતું હતું. આજકલ તેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકા કોવિડ-19 વૈક્સિન નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં તેને કોવિશીલ્ડ (Covishield) કહેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોવિશીલ્ડનું ભારતમાં ઉત્પાદન સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા કરી રહ્યું છે. AZD1222ને ઓક્સફોર્ડ યૂનિવર્સીટી અને સ્પિન આઉટ કંપની વૈક્સિટેકે મળીને શોધ કરી હતી.

આ વેક્સિનમાં ચિમ્પાન્ઝીનાં મળમાંથી લેવામાં આવેલા એડિનોવાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે રેપ્લીકેટ નથી કરતો. આ સામાન્ય શરદી કે વાયરસનું કમજોર રૂપ છે. તેનાં કારણે ચિમ્પાન્ઝીને શરદી અને તાવ આવે છે. જો કે ખાસ વાત એ છે કે તેમાં sars-CoV-2 વાયરસનાં બહારની કાંટાવાળી કોરની મટીરીયલ છે.
વેક્સિનેશન પછી સ્પાઈક પ્રોટીનનું ઉત્પાદન શરીરમાં થાય છે. તેના જવાબમાં શરીરનું ઈમ્યુન સિસ્ટમ એટલે કે પ્રતિરોધક ક્ષમતાનાં વાયરસને ઓળખવામાં લાગે છે. એટલે કે જ્યારે પણ કોરોના વાયરસનો હુમલો શરીર પર થશે તો શરીરની ઈમ્યુન સિસ્ટમ તેની સાથે ઘર્ષણ કરીને વાયરસને કમજોર કરી નાખે છે.

chimpanzee

કોવિશીલ્ડને પૂરી દુનિયાનાં 70 દેશમાં કોરોના બિમારી દરમિયાન અચાનક જરૂરીનાં સમયમાં ઉપયોગ કરવાની પરવાનગી મળી છે. ભારતમાં કોવિશીલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરી રહી છે.
હાલમાં ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 1 લાખ કરતા વધારે મામલા સામે આવ્યા છે. પાછલા વર્ષની સરખામણીએ એકસાથે આટલા બધા કેસ આવવા એક રેકોર્ડ છે. હવે દેશમાં કુલ 1.25 કરોડ કરતા વધારે કોરોના વાયરસનાં કેસ સામે આવી ચુક્યા છે.

 

 

 

Next Article