
શિયાળો આવતાની સાથે જ એર કંડિશનર (AC) ઘણીવાર બંધ થઈ જાય છે. જો કે, જો તેમને યોગ્ય રીતે ઢાંકવામાં ન આવે, તો ઉનાળામાં ગરમીની સીઝનમાં તે ખરાબ થઈ શકે છે. ધૂળ, ભેજ અને વરસાદને કારણે AC ના પાર્ટસ ખરાબ થઈ જાય છે. સદનસીબે, કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને, તમે તમારા AC ને લાંબા સમય સુધી સરળતાથી ચલાવી શકો છો. આ સ્ટેુપ્સ ફોલો કરવાથી ન ફક્ત ACનું આયુષ્ય વધશે પરંતુ આગામી સિઝનમાં સર્વિસિંગ ખર્ચ પણ ઘટશે. ચાલો જાણીએ કે તમારા AC ને કેવી રીતે ઢાંકવું અને તેને ઢાંકતી વખતે કઈ સાવચેતીઓ ધ્યાનમાં રાખવી.
તમારા AC ને પેક કરતી વખતે, તેને ક્યારેય પોલિથીન અથવા તેનાથી બનેલા કવરથી ઢાંકશો નહીં. આમ કરવાથી કન્ડેન્સર યુનિટમાં ફંગસ, કાટ અથવા જંતુઓ થવાનું જોખમ છે. AC ને એવા કવરથી ઢાંકવું મહત્વપૂર્ણ છે જે થોડી હવાને પણ પસાર થવા દે.
જો AC ખુલ્લી દિવાલ પર લગાવેલું હોય, તો તેના પર પ્લાયવુડ કવર લગાવો. આનાથી તેને બીજા કવરથી બદલવાની જરૂર રહેશે નહીં અને તેને પાણી કે બરફથી બચાવશે.
લોકો ઘણીવાર તેમના AC ને કોમર્શિયલ કવરથી ઢાંકે છે, પરંતુ તેનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. તે ન તો સારી ગુણવત્તાના હોય છે અને ન તો તેઓ AC ને યોગ્ય રીતે સુરક્ષિત રાખે છે. નિષ્ણાતો AC ની આસપાસ લાકડાના કવરનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તેનાથી હવાની અવરજવર પણ થતી રહેસે અને ધૂળ પણ જમા નહીં થાય.
જો તમે શિયાળામાં તમારા AC ને ઢાંકી દો છો, તો છ મહિના પછી તરત જ તેને દૂર કરશો નહીં. ધૂળ દૂર કરવા અને વધુ પડતી ગંદકી એકઠી થતી અટકાવવા માટે સમયાંતરે તેને સાફ કરતા રહો.
જો AC ને બહાર તડકામાં રાખવામાં આવે છે, તો કવર UV પ્રતિરોધક હોવું જોઈએ. આનાથી AC તડકામાં ઝાંખું થતું અટકશે. જ્યારે તમે તેને ફરીથી ખોલો છો, ત્યારે તે બરાબર એ જ રંગનું જોવા મળશે જેવુ તમે તેને અગાઉ છોડ્યુ હતુ.
Published On - 2:49 pm, Sat, 25 October 25