Gujarati NewsSportsT 20 sehwag scoffs some players consider chennai super kings government job
T-20: સેહવાગે કર્યો કટાક્ષ, ચેન્નાઈ સુપર કિગ્સને કેટલાક ખેલાડીઓ સરકારી નોકરી સમજે છે
જેટલા પણ ક્રિકેટ પ્રશંશક ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ થી વાકેફ છે, તે લોકો જાણે છે કે આ ટુર્નામેન્ટ દરમ્યાન ઇતીહાસનુ સૌથી ખરાબ પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહી છે. ના તો મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ના બોલર્સ ટીમને જીત અપાવી રહ્યા છે કે ના તો બેટ્સમેન જવાબદારી પુર્વક રમતા નજરે ચઢી રહ્યા છે. એવામાં પુર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ધોનીના કેટલાક […]
Follow us on
જેટલા પણ ક્રિકેટ પ્રશંશક ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ થી વાકેફ છે, તે લોકો જાણે છે કે આ ટુર્નામેન્ટ દરમ્યાન ઇતીહાસનુ સૌથી ખરાબ પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહી છે. ના તો મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ના બોલર્સ ટીમને જીત અપાવી રહ્યા છે કે ના તો બેટ્સમેન જવાબદારી પુર્વક રમતા નજરે ચઢી રહ્યા છે. એવામાં પુર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ધોનીના કેટલાક ખેલાડીઓ ઉપર નિશાન તાક્યા છે. સહેવાગે તો એટલે સુધી કહી સંભળાવ્યુ છે કે, કેટલાક ખેલાડીઓ તો ચેન્નાઇ સુપર કિંગ્સને સરકારી નોકરી સમજી રહ્યા છે.
ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ બુધવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી મેચમાં એક સમયે જીતના નજીક હતી. પરંતુ એકાએક જ અંતમાં મેચ નુ પાસુ પુરી રીતે પલટાઇ ગયુ હતુ અને કલકત્તાએ દશ રન થી મેચને પોતાના નામે કરી લીધી હતી. મેચમાં ધીમી બેટીંગ ને લઇને કેદાર જાદવની મન મુકીને આલોચના કરાઇ છે. સહેવાગે એક રમતગમત સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, 168 રનનુ લક્ષ્ય હાંસલ કરી શકાતુ હતુ. પરંતુ કેદાર જાદવ અને રવિન્દ્રસિંહ જાડેજા એ ડોટ બોલ રમી રહ્યા હતા, આમ જોઇએ તેવી મદદ મળી શકી નહી.
વિરેન્દ્ર સહેવાગે મોટુ નિવેદન આપ્યુ હતુ કે, મારી નજરમાંતો ચેન્નાઇ સુપર કિંગ્સ માં કેટલાક બેટ્સમેનો તો સીએસકેને સરકારી નોકરી તરીકે જ જુએ છે. એટલે કે તમે પ્રદર્શન કરો કે ના કરો, ગમે તેમ પણ તોય તમને તમારી સૈલેરી તો મળતી જ રહેવાની છે. બતાવી દઇએ કે ચેન્નાઇ તે મેચ દરમ્યાન 11 થી 14 મી ઓવર સુધીમાં માત્ર 14 જ રન બનાવ્યા હતા.
આ ઉપરાંત આ સમયગાળામાં જ અંબાતી રાયડુ અને શેન વોટ્સન ની પણ વિકેટ ગુમાવી હતી. આના પછી પણ ડ્વેન બ્રાવો થી અગાઉના ક્રમે મોકલાયેલા કેદાર જાદવે 12 બોલમાં 07 રન જ કર્યા હતા. ટીમ અત્યાર સુધી છ મેચ રમી છે જેમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા નંબર પર છે. હવે શનિવારે આરસીબી સામે ચેન્નાઇ મેચ રમશે.