Sourav Ganguly : ઇંગ્લેન્ડના આરોપો બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવાનું સાચું કારણ જણાવ્યું

|

Sep 13, 2021 | 1:39 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. પાંચમી ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું.

Sourav Ganguly : ઇંગ્લેન્ડના આરોપો બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવાનું સાચું કારણ જણાવ્યું
Sourav Ganguly

Follow us on

Sourav Ganguly : માન્ચેસ્ટર ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની નિર્ણાયક મેચ હતી. કોરોનાને કારણે તેના રદ થયા બાદ સટ્ટાનું બજાર ગરમ થઈ ગયું છે. જ્યારે ઇંગ્લેન્ડના ચાહકો અને કેટલાક દિગ્ગજ ખેલાડીઓ તેને આઇપીએલ (IPL) માટે બીસીસીઆઇ દ્વારા ષડયંત્ર ગણાવી રહ્યા છે, ત્યારે ભારતીય મેનેજમેન્ટ તેને ખેલાડીઓની સલામતીનો મુદ્દો માને છે. હવે BCCI (Board of Control for Cricket in India) પ્રમુખ સૌરવ ગાંગુલી સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે સત્ય જણાવ્યું છે.

માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test) 10 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. આ પહેલા જ ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ટીમના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો. રાહતની વાત હતી કે, દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. 10 સપ્ટેમ્બરના રોજ શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, મેચ મોડી શરૂ થશે, જોકે બાદમાં તેને રદ કરવામાં આવી હતી.

સૌરવ ગાંગુલીએ મેચ રદ્દ કરવાનું કારણ જણાવ્યું

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ હવે આ સમગ્ર મુદ્દે ખુલીને વાત કરી છે અને માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરવાનું કારણ પણ સમજાવ્યું છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, ગાંગુલીએ સત્તાવાર રીતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ (Indian Team)ના ખેલાડીઓએ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ (Test Match) રદ કરવામાં આવી હતી.

ગાંગુલીએ કહ્યું, ‘ખેલાડીઓએ રમવાની ના પાડી દીધી હતી, પરંતુ આ માટે તમે તેમને દોષી ઠેરવી શકતા નથી. ફિઝીયો યોગેશ પરમાર ખેલાડીઓ સાથે સંપર્કમાં હતા. નીતિન પટેલ ક્વોરેન્ટાઇન ગયા પછી, તેમણે એકલાએ આખી ટીમની સંભાળ લીધી. યોગેશ કોરોનાથી સંક્રમિત હોવાની જાણ થતાં ખેલાડીઓને ખૂબ જ ખરાબ લાગ્યું.

તેઓએ વિચાર્યું કે, તેને પણ ચેપ લાગી શકે છે. તેઓ બધા ડરી ગયા હતા. બાયો બબલ (Bio Bubble)માં રહેવું સહેલું નથી. તમારે તેમની લાગણીઓનું સન્માન કરવું પડશે. ‘સીરિઝના ભવિષ્ય અંગે તેમણે કહ્યું, ‘ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ (Old Trafford Test) રદ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઘણું સહન કર્યું છે. જ્યારે વસ્તુઓ સારી થશે ત્યારે અમે સીરિઝ વિશે નક્કી કરીશું કે, તે આગામી વર્ષે કે ક્યારે કરવી.

આ ટેસ્ટ સીરિઝની દરેક મેચ પર કરોડો રૂપિયાનો દાવ લગાવવામાં આવ્યો હતો, જે વર્તમાન પરિસ્થિતિમાં ECB (England and Wales Cricket Board)ના હાથમાંથી સરકી રહ્યો હોય તેવું લાગે છે.

 

આ પણ વાંચો :  T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Next Article