Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

|

May 31, 2023 | 1:16 PM

Wrestlers Protest:ગંગામાં મેડલ વહાવવા હરિદ્વાર ગયેલા કુસ્તીબાજોએ ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરી બાદ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે બ્રિજભૂષણ શરણ સિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો  જુઓ Video

Follow us on

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજો ગઈકાલે હરિદ્વાર પહોંચ્યા હતા. તેની પવિત્ર ગંગામાં  મેડલ વહેવડાવવાની યોજના હતી. ખેડુત નેતા ટિકૈત પહોંચ્યા તેમને રોકવા પહોંચ્યા હતા. આ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેના પર બ્રિજભૂષણે કહ્યું કે તે મેડલના વહેડાવવાને ગયા હતા પરંતુ બાદમાં તેણે ટિકૈતને મેડલ આપી દીધો હતો. હવે આપણે શું કરી શકીએ?

કુસ્તીબાજોનું એક મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

મહિલા કુસ્તીબાજોની સાથે મોટી સંખ્યામાં મેડલ વિજેતા કુસ્તીબાજો એક મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આરોપ છે કે તેમની સામે કોઈ સુનાવણી થઈ રહી નથી. આ દરમિયાન નવા સંસદ ભવનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ઉદ્ઘાટન સમારોહમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ અહીં સંબોધન કર્યું હતું. આનાથી નારાજ કુસ્તીબાજોએ સંસદ તરફ કૂચ કરવાની યોજના બનાવી. જોકે, દિલ્હી પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા. 28 મેના રોજ દિલ્હીના રસ્તાઓ પર ધર્ષણ પણ જોવા મળ્યું હતુ.

 

 

બ્રિજભૂષણ સિંહ પર કાર્યવાહી માટે પાંચ દિવસનું અલ્ટીમેટમ

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે તે પવિત્ર ગંગામાં પોતાનો મેડલ વહેડાવવા જઈ રહ્યા છે. આ માટે તેઓ હરિદ્વાર પહોંચ્યા. સાંજે 6 વાગ્યે મેડલ વહેડાવવાની યોજના હતી. જોકે સમય જતાં ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા અને કુસ્તીબાજોને સમજાવ્યા હતા. તેણે કુસ્તીબાજો પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યો હતો. બાદમાં કેન્દ્ર સરકારને બ્રિજભૂષણ સિંહ પર કાર્યવાહી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અલ્ટીમેટમનો સમયગાળો રવિવારે પૂરો થશે. જે બાદ તેઓ આગામી યોજનાની જાહેરાત કરશે.

કુસ્તીબાજો સામે અનેક કલમો હેઠળ કેસ દાખલ – કુસ્તીબાજોનો આરોપ

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર બેઠા હતા. તેમને 28 મેના રોજ જંતર-મંતરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી તે ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે ત્યાં પણ તેમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમની સાથે અત્યાચાર કર્યો હતો. તેમની ધરપકડ કરી. તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. બીજા દિવસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓએ કોઈ ગુનો કર્યો નથી. અમારો હેરાન કરનાર બિન્દાસ ફરે છે. તે POCSO એક્ટ બદલવાની વાત કરી રહ્યો છે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article