રેસલિંગ ફેડરેશન પર લાગેલા આરોપોની તપાસ સમિતિમાં બબીતા ​​ફોગાટને સામેલ કરાઈ

|

Feb 01, 2023 | 4:32 PM

ખેલ મંત્રીએ બ્રિજ ભૂષણ સામેના આરોપોની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી હતી. આમ છતાં કુસ્તીબાજો નારાજ હતા. આ નારાજગી બાદ મંગળવારે કુસ્તીબાજ બબીતા ​​ફોગાટને બ્રિજભૂષણ સિંહ પર લાગેલા વિવિધ આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવી હતી.

રેસલિંગ ફેડરેશન પર લાગેલા આરોપોની તપાસ સમિતિમાં બબીતા ​​ફોગાટને સામેલ કરાઈ
કુસ્તીબાજોની નારાજગી બાદ તપાસ સમિતિમાં બબીતા
Image Credit source: Twitter

Follow us on

ભારતના સ્ટાર રેસલર્સની નારાજગી બાદ રમત મંત્રાલયે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. ખેલ મંત્રાલયે સ્ટાર રેસલર બબીતા ​​ફોગાટને મોટી જવાબદારી સોંપી છે. વાસ્તવમાં, ભૂતકાળમાં વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણા મોટા રેસલર જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક યોજીને આ કુસ્તીબાજોની તપાસનું આશ્વાસન આપ્યું હતું અને આ ખાતરી બાદ કુસ્તીબાજોએ હડતાળ ખતમ કરી દીધી હતી.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ખેલ મંત્રીએ બ્રિજ ભૂષણ સામેના આરોપોની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી હતી. આમ છતાં કુસ્તીબાજો નારાજ હતા. આ નારાજગી બાદ મંગળવારે કુસ્તીબાજ બબીતા ​​ફોગાટને બ્રિજભૂષણ સિંહ પર લાગેલા વિવિધ આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવી હતી.

બબીતા ​​આરોપોની તપાસ કરશે

રમતગમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણી, ઉત્પીડન, ધાકધમકી, નાણાકીય અને વહીવટી અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે રચિત સમિતિમાં બબીતા ​​ફોગાટને સામેલ કરવાની જાણકારી આપી. આ સમિતિમાં દિગ્ગજ બોક્સર એમસી મેરી કોમ, ભૂતપૂર્વ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે, ભૂતપૂર્વ SAI અધિકારી રાધિકા શ્રીમાન અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના ભૂતપૂર્વ CEO રાજેશ રાજગોપાલનનો સમાવેશ થાય છે.

કુસ્તીબાજો કેમ ગુસ્સે થયા?

વાસ્તવમાં, સમિતિની રચના છતાં, કુસ્તીબાજો નારાજ હતા કારણ કે તેઓએ કહ્યું હતું કે સમિતિ બનાવતા પહેલા તેમની સાથે સલાહ લેવામાં આવી ન હતી. સાક્ષી, બજરંગ, વિનેશે તો ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સમિતિની રચનાથી ખુશ નથી. તેમણે કહ્યું કે તેમને ખાતરી આપવામાં આવી હતી કે દેખરેખ સમિતિની રચના પહેલા અમારી સલાહ લેવામાં આવશે, પરંતુ તેમની સલાહ પણ લેવામાં આવી ન હતી.

ભારતીય રેસલિંગ ફેડરેશન હાલના દિવસોમાં એક અખાડો બની ગયો છે. એક તરફ, બ્રિજ ભૂષણ શરણ સિંહ છે, જેઓ 2011થી એસોસિએશનના પ્રમુખ છે અને બીજી તરફ, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ફેમસ કુસ્તી ખેલાડીઓ છે. બ્રિજ ભૂષણ શરણ સિંહને 2011માં પ્રથમ વખત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ સતત ત્રણ ટર્મથી આ પદ પર બિનહરીફ રહ્યા છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે સંઘ અને ખેલાડીઓ સામસામે છે.

Next Article