રાવલપિંડી એક્સપ્રેસ Shoaib Akhtar ફરી ક્યારેય દોડી શકશે નહીં ! મેલબોર્નમાં થનારું મોટું ઓપરેશન કારણભૂત રહેશે

|

Nov 22, 2021 | 2:02 PM

ક્રિકેટના મેદાન પર ખળભળાટ મચાવનાર શોએબ અખ્તર વિશે હવે જે સમાચારો સામે આવી રહ્યા છે તે સારા નથી. આ સમાચારની પુષ્ટિ ખુદ અખ્તરે કરી છે.

રાવલપિંડી એક્સપ્રેસ Shoaib Akhtar ફરી ક્યારેય દોડી શકશે નહીં ! મેલબોર્નમાં થનારું મોટું ઓપરેશન કારણભૂત રહેશે
Shoaib Akhtar

Follow us on

Shoaib Akhtar વિશ્વ ક્રિકેટમાં સ્પીડ શોએબ અખ્તરની ઓળખ રહી છે. તેની સ્પીડને કારણે દુનિયા તેને રાવલપિંડી એક્સપ્રેસ કહેતી હતી. તેના હાથમાંથી નીકળતા બોલમાં એટલી સ્પીડ હતી કે બેટ્સમેનો તેનો સામનો કરતા ગભરાઈ જતા હતા. તેનો રન-અપ જોઈને સારા બેટ્સમેન ફૂલી જતા હતા. પરંતુ ક્રિકેટના મેદાન પર ખળભળાટ મચાવનાર શોએબ અખ્તરને લઈને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે સારા નથી. આ સમાચારની પુષ્ટિ ખુદ અખ્તરે કરી છે.

જો કે શોએબ અખ્તર હવે પાકિસ્તાનના ફાસ્ટ બોલરમાંથી ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બની ગયો છે. પરંતુ વિશ્વ ક્રિકેટમાં કોઈ એવું નથી આવ્યું જે તેની ઝડપની બરાબરી કરી શકે. આવી સ્થિતિમાં, જ્યારે સમાચાર મળશે કે આ ઝડપનો વેપારી હવે ક્યારેય દોડી શકશે નહીં, તો તેના ચાહકો ચોક્કસ નિરાશ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

મારા ભાગદોડના દિવસો પૂરા થઈ ગયાઃ શોએબ અખ્તર

શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે કે, તે હવે ક્યારેય દોડી શકશે નહીં. તેણે આનું કારણ પણ આપ્યું છે, જેના તાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તેના મોટા ઓપરેશન સાથે સંબંધિત છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, તે મેલબોર્નમાં knee replacement તે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાનો છે.

અખ્તરે પાકિસ્તાન માટે 224 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

શોએબ અખ્તર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પીટીવી સ્પોર્ટ્સના એન્કર નૌમાન નિયાઝ સાથેના તેમના વિવાદની ચર્ચા થઈ હતી, જે બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે લાઈવ ટીવી શોમાં જ રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં એન્કર નૌમાન નિયાઝે અખ્તરની માફી માંગી હતી.

અખ્તરે વર્ષ 2011માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 163 ODI અને 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં અખ્તરે 25.69ની એવરેજથી 178 વિકેટ લીધી હતી. વન ડે ઈન્ટરનેશનલમાં અખ્તરના નામે 24.97ની એવરેજથી 247 વિકેટ છે. T20 ઈન્ટરનેશનલમાં અખ્તરે 22.73ની એવરેજથી 19 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IND vs NZ: રોહિત શર્મા કેપ્ટન તરીકે જ નહી પરંતુ બેટ્સમેનના રુપમાં પણ ન્યુઝીલેન્ડ સામે રહ્યો દમદાર, મેળવી આ સિદ્ધીઓ, જાણો

Next Article