IPL 2022 : હર્ષલ પટેલની બહેનનું નિધન, મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ઘરે જવા રવાના

IPL 2022માં રમી રહેલા RCB ખેલાડી હર્ષલ પટેલની બહેનનું નિધન થયું છે. 9 એપ્રિલે તે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી રહ્યો હતો ત્યારે તેની બહેનનું અવસાન થયું હતું. મેચ પૂરી થતાં જ હર્ષલ ઘરે જવા રવાના થઈ ગયો છે.

IPL 2022 : હર્ષલ પટેલની બહેનનું નિધન, મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ઘરે જવા રવાના
Image Credit source: IPL
| Updated on: Apr 10, 2022 | 11:45 AM

IPL 2022માં રમી રહેલા RCB પ્લેયર હર્ષલ પટેલ (Harshal Patel)ની બહેનનું નિધન થયું છે. 9 એપ્રિલે તે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે મેચ રમી રહ્યો હતો ત્યારે તેની બહેનનું અવસાન થયું હતું. પીટીઆઈના જણાવ્યા અનુસાર, હર્ષલ પટેલ મેચ પૂરી થયા પછી તરત જ એક દિવસ માટે ઘરે જવા રવાના થઈ ગયો છે. હવે તે 12 એપ્રિલે CSK સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. જો કે, તેઓ જોડાશે ત્યારે ક્વોરેન્ટાઇન સિસ્ટમ શું હશે, તે અત્યારે સ્પષ્ટ નથી.

હર્ષલ પટેલ છેલ્લા બે વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RoyalChallengersBangalore)માટે સ્ટાર પરફોર્મર છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 2 વિકેટ પણ લીધી હતી અને ટીમની 7 વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાણો હવે તમે ટીમમાં ક્યારે જોડશો

આઈપીએલ સાથે સંકળાયેલા સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હર્ષલને અચાનક બાયો બબલમાંથી બહાર આવવું પડ્યું. કારણ કે તેનો પરિવારમાં તેની બહેનનું નિધન થયું છે. હર્ષલ હવે 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા ટીમના બાયોબબલમાં જોડાય તેવી શક્યતા છે.” તમને જણાવી દઈએ કે પીટીઆઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે હર્ષલના પરિવારમાં કોનું મૃત્યુ થયું છે. પરંતુ દૈનિક જાગરણ મુજબ હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે.

આરસીબીના પ્રદર્શનમાં હર્ષલ પટેલની મોટી ભૂમિકા

IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે, જેમાંથી તેણે 3 મેચ જીતી છે અને એક મેચ હારી છે. રોયલ ચેલેન્જર્સના પરફોર્મન્સમાં હર્ષલ પટેલનો મોટો રોલ છે. તે ગત સિઝનમાં પર્પલ કેપ જીતનાર બોલર પણ હતો. RCBને મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેચ રમવાની છે. હર્ષલ પટેલ આ મેચ પહેલા જોડાશે પણ તેમાં રમી શકશે કે નહી. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 આ પણ વાંચો : આજે 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાશે, પેપર ફૂટે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત, રાજ્યભરમાંથી 2.9 લાખ ઉમેદવારો ભાગ લેશે

આ પણ વાંચો : Pakistan Political Crisis: ઈમરાન ખાનના પ્રવક્તા ડો.અરસલાન ખાલિદના ઘર પર દરોડા, પરિવારના તમામ સભ્યો પાસેથી ફોન પણ છીનવી લેવાયા

Published On - 11:25 am, Sun, 10 April 22

Follow Us