shreyas iyer fit :દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજામાંથી બહાર આવ્યો

|

Aug 12, 2021 | 9:22 AM

આઈપીએલ 2021ને શરુ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.IPL2021આગામી મહિને 19 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાવાની છે અને આ માટે દિલ્હીની ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીની વાપસી થઈ છે.

shreyas iyer fit :દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજામાંથી બહાર આવ્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજામાંથી બહાર આવ્યો,

Follow us on

Shreyas iyer fit :ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021(Indian Premier League) (IPL 2021) સીઝન શરૂ થવા માટે લગભગ 5-6 અઠવાડિયા બાકી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ટીમો પુરજોશમાં છે. થોડા જ દિવસોમાં આ ટીમો આરબ દેશ માટે રવાના થશે. આવી સ્થિતિમાં ઘણા ખેલાડી (Player)ઓની ઉપલબ્ધતા વિશે ઘણી ઉત્સુકતા છે.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) (DC)માટે સૌથી મોટા અને શ્રેષ્ઠ સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર (shreyas iyer) ફિટ થઈ ગયો છે અને ટૂર્નામેન્ટ માટે ટીમમાં વાપસી માટે તૈયાર છે. નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) દ્વારા અય્યરને ક્રિકેટ મેદાનમાં પરત ફરવા માટે સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યા છે.

ટીમ ઇન્ડિયા અને દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડર બેટ્સમેન અય્યર આ વર્ષે માર્ચમાં ઇજાગ્રસ્ત થયો હતો. 23 માર્ચે પુણેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન તેના ખભામાં ઈજા પહોંચી હતી, જેના કારણે તે સીરીઝની સાથે IPL2021 માંથી પણ બહાર થઈ ગયો હતો. આ પછી અય્યરે (shreyas iyer)તેના ખભાનું ઓપરેશન કરાવ્યું અને થોડા સમય પહેલા તેણે તેના જૂના કોચ પ્રવીણ આમરે સાથે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શારીરિક રીતે શ્રેયસ ફિટ છે

બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે અય્યર (shreyas iyer) હવે શારીરિક અને માનસિક રીતે રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. “NCA એ શ્રેયસને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે. તે એક સપ્તાહ માટે બેંગલુરુના એનસીએમાં રહ્યો હતો અને તેની ફિટનેસ ચેક કરવામાં આવી હતી. તબીબી અને શારીરિક પરિમાણોની તપાસ કર્યા પછી, તે હવે મેચમાં રમવા માટે તૈયાર છે. તેને વધુ સારા સમયે ફિટનેસ સર્ટિફિકેટ (Fitness certificate) મળ્યું કારણ કે, ભારતને બે મહિનામાં ટી 20 વર્લ્ડકપમાં રમવાનું છે.

દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કોણ કરશે?

શ્રેયસ હવે સીધી તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)માં જોડાશે. જ્યાં તે છેલ્લા બે વર્ષથી ટીમનો કેપ્ટન હતો. ગત સિઝનમાં દિલ્હીએ તેની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. રિષભ પંતે ઈજા બાદ 2021 માં ટીમની કેપ્ટનશીપ કરી હતી. જો કે હવે શ્રેયસની વાપસી સાથે દિલ્હી કેપિટલ્સને પણ મૂંઝવણ થશે કે બાકીના ભાગ માટે રિષભ પંતને કેપ્ટન તરીકે રાખવો કે ફરી એક વખત શ્રેયસના હાથમાં ટીમની કમાન સોંપવી?

ટી 20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનો ફાયદો

માત્ર દિલ્હી કેપિટલ્સ જ નહીં, અય્યરની વાપસીથી ટીમ ઇન્ડિયા પણ મજબૂત થશે. ઈજાગ્રસ્ત થયા પહેલા, અય્યર ટીમ ઈન્ડિયાની ટી 20 ટીમનો પણ મહત્વનો ભાગ હતો અને ઈંગ્લેન્ડ સામેની ટી 20 સિરીઝમાં પણ રમી રહ્યો હતો.

આવી સ્થિતિમાં બે મહિના પછી યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે તેની ઉપલબ્ધતાએ પસંદગીકારોને બીજો વિકલ્પ આપ્યો છે. 26 વર્ષીય અય્યરે ભારત માટે અત્યાર સુધી 22 વનડે અને 29 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

આ પણ વાંચો : Hockey team coach : ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ કેવી રીતે મેળવવો ? જાણો પુરુષ ટીમના કોચે શું કહ્યું

Next Article