ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સીરિઝની બીજી મેચ રમાશે. બંને ટીમના ખેલાડીઓ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટીસ કરી પરસેવો પાડ્યો હતો. દિલ્લીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે હાર થઈ હતી.
જો કે ટીમ ઈન્ડિયાના બોલર યુજવેન્દ્ર ચહલે કહ્યું કે, ભારતીય ટીમ દબાણ વગર મેદાનમાં ઉતરશે. ભૂતકાળમાં પણ પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી જીતી હતી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે વિકેટો જાળવી રાખી હતી, જેનો ફાયદો ટીમને થયો હતો તો બીજી તરફ બાંગ્લાદેશના ખેલાડી આફિફ હુસેને કહ્યું કે, બાંગ્લાદેશની ટીમનું પર્ફોમન્સ સારૂ રહ્યું છે, રાજકોટની પીચ દિલ્લીની પીચ કરતા સારી હોવાથી અમે ફાયદો ઉઠાવીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો