BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા

|

Aug 22, 2021 | 2:46 PM

વાત જ્યારે અન્ય દેશોની લીગમાં રમતા ભારતીય ક્રિકેટરોની વાત આવે છે, ત્યારે BCCI સ્પષ્ટપણે તેનો ઇનકાર કરે છે. ભારતીય ખેલાડી વિદેશી લીગમાં ત્યારે જ રમી શકે છે જ્યારે તે નિવૃત્ત થઈ ગયો હોય અથવા તેને એનઓસી મળી હોય.

BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા
BCCI

Follow us on

BCCI : જ્યારે બીસીસીઆઈએ આઈપીએલ શરૂ કરી ત્યારે એવું જોવા મળ્યું કે, ક્રિકેટ લીગ (Cricket League)નું પૂર આવ્યું છે. IPLને ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ની મની લીગ કહેવામાં આવે છે, જેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લે છે. જો કે, જ્યારે અન્ય દેશોની લીગમાં રમતા ભારતીય ક્રિકેટરોની વાત આવે છે, ત્યારે BCCI સ્પષ્ટપણે તેનો ઇનકાર કરે છે.

ભારતીય ખેલાડી વિદેશી લીગમાં ત્યારે જ રમી શકે છે જ્યારે તે નિવૃત્ત થઈ ગયો હોય અથવા તેને એનઓસી (NOC) મળી હોય. ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન (Batsman) સબા કરીમે (Saba Karim) ટીમ ઇન્ડિયાના હિતમાં બીસીસીઆઇના આ પગલાને જણાવ્યું છે.

બીસીસીઆઈ (BCCI)ના ક્રિકેટ ઓપરેશન્સના ભૂતપૂર્વ જીએમ સબા કરીમે કહ્યું હતું કે, “બોર્ડ તેના ખેલાડીઓને ઘરેલુ લીગ સુધી સીમિત રાખીને ત્રણેય ફોર્મેટના ખેલાડીઓને વધુ સારા અને ખેલાડી (Player) બનાવવા માટે તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને વિશ્વભરની લીગમાં રમવાની મંજૂરી છે. વિશ્વના બાકીના દેશો પણ તેને મંજૂરી આપે છે.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પરંતુ ભારત આવું કરતું નથી. મને લાગે છે કે તે બીસીસીઆઈનો સારો નિર્ણય છે, કે તેઓ તેમના ખેલાડીઓને અન્ય દેશોની લીગમાં રમવા દેતા નથી. આ નિયમ ભારતમાં ક્રિકેટ રમતા દરેક સ્તરના ખેલાડીઓને લાગુ પડે છે.

BCCI નું પગલું એકદમ યોગ્ય છે – સબા કરીમ

એક યુટ્યુબ ચેનલના IVM પોડકાસ્ટ પર બોલતા સબા કરીમે કહ્યું, “જો તમે ભારતની ઘરેલુ ટુર્નામેન્ટને પણ જુઓ, તો અમારી પાસે દરેક સ્તરે મલ્ટી ફોર્મેટ ખેલાડીઓ છે. જો BCCI ખેલાડીઓને વિદેશી લીગમાં જવાની અને રમવાની પરવાનગી આપે છે, તો બહુ ઓછા ખેલાડીઓ બાકી રહેશે જે ઘરેલુ ક્રિકેટમાં રમતા જોવા મળશે.

આજે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે. અમે એક જ સમયે બે દેશોમાં રમવા માટે તૈયાર છીએ, માત્ર એટલા માટે કે અમારી પાસે આવા ખેલાડીઓ છે અને આ બધું ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયને કારણે જ શક્ય બન્યું છે.

વિશ્વની સૌથી પ્રખ્યાત T20 ક્રિકેટ લીગ IPL 2021 ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. લીગની વર્તમાન સીઝન મે મહિનામાં કોરોના વાઈરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. હવે તેનો બાકીનો ભાગ 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. IPL 2021 મુલતવી રાખવા અને ફરી શરૂ કરવા વચ્ચે બીજી ટુર્નામેન્ટ રમાઈ છે. જેણે ક્રિકેટ પ્રેમીઓમાં ઘણી ચર્ચા ઉભી કરી છે.

 

આ પણ વાંચો : Coconut Water : નાળિયેર પાણી ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

આ પણ વાંચો : History of England : ઇંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં 22 ઓગસ્ટની તારીખ ખરાબ છે ! જો તમને વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર

Next Article