પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસ (Zainab Abbas)ને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે. તે અહીં આઈસીસી વર્લ્ડકપ 2023ની એન્કરિંગ કરવા માટે આવી હતી. ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ આ એક્શન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાને કારણે લેવામાં આવ્યું છે. એવા અહેવાલ છે કે, ઝૈનબ હાલમાં દુબઈમાં છે.
ઝૈનબ અબ્બાસ પર કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે ભારતના એક વકીલ વિનીત ઝિંદલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદ ઝૈનબના જુના ટ્વિટસને લઈને હતી. જેમાં હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ લખ્યું હતુ. ફરિયાદ કરનાર વકીલ મુજબ ઝૈનબે આ ટ્વિટ 9 વર્ષ પહેલા યુઝર નેમ “Zainablovesrk” થી કર્યું હતુ. ત્યારબાદ તેમણે બદલી “ZAbbas Official,” કર્યું હતુ.
Complaint against @ZAbbasOfficial filed by Advocate & Social Activist @vineetJindal19 with cyber cell Delhi Police.Requesting to lodge FIR under section 153A,295,506,121 IPC and sec67 IT Act for making derogatory remarks for Hindu faith and beliefs and for anti -Bharat… https://t.co/vctiV98wBT pic.twitter.com/f9C6I0OMuD
— Adv.Vineet Jindal (@vineetJindal19) October 5, 2023
આ પણ વાંચો : Virat Kohli : ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીની ‘ચિતે કી ચાલ, બાજ કી નજર’, જુઓ Video
પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ દિલ્હીના સાયબર સેલમાં થઈ હતી. હિન્દુ માન્યતાઓનું અપમાન કરવાના આરોપમાં આઈપીસી કલમ 153A, 295, 506 અને 121 લગાવવામાં આવી હતી. સાથે એ પણ માંગ કરવામાં આવી હતી કે, તેને જલ્દી વર્લ્ડકપની પ્રઝેન્ટર લિસ્ટમાંથી બહાર કરવામાં આવે કારણ કે, ભારત આવા લોકોનું સ્વાગત નહિ કરી શકે, જે ભારત વિરુદ્ધ બોલે છે.
ભારતીય ક્રિકેટર પર ઝૈનાબે નિશાન સાંધ્યું હતુ. એક જુના ટ્વિટમાં તેણે આપત્તિજનક લખાણ લખ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ હવે ઝૈનબ અબ્બાસના મામલે અપટેડ આવ્યું છે કે, પાકિસ્તાની પત્રકારને આઈસીસી વર્લ્ડ કપ 2023થી તો દુર કરવામાં આવી છે સાથે ભારતમાંથી પણ બહાર કરવામાં આવી છે.
Published On - 4:26 pm, Mon, 9 October 23