IND vs SA: ચેતેશ્વર પુજારા અને રહાણે પર રાહુલ દ્રવિડે દર્શાવ્યો પૂરો ભરોસો, હેડ કોચે કહ્યુ ‘મહત્વનુ હશે યોગદાન’

|

Dec 25, 2021 | 5:53 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે.

IND vs SA: ચેતેશ્વર પુજારા અને રહાણે પર રાહુલ દ્રવિડે દર્શાવ્યો પૂરો ભરોસો, હેડ કોચે કહ્યુ મહત્વનુ હશે યોગદાન
Cheteshwar Pujara

Follow us on

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ ચાલુ છે. મુંબઈમાં ન્યુઝીલેન્ડ (New Nealand) સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. પાંચ બોલનો સામનો કર્યા બાદ તે એજાઝ પટેલ (Ajaz Patel) દ્વારા બોલ્ડ થયો હતો. તે બોલ સમજવાનું ભૂલી ગયો અને વિકેટ ગુમાવી દીધી. આ સાથે તેનું ખરાબ ફોર્મ પણ ચાલુ રહ્યું.

ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલો ચેતેશ્વર પૂજારા લાંબા સમયથી મોટી ઇનિંગ રમી શક્યો નથી. જેના કારણે ટીમમાં તેના સ્થાન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે પૂજારાએ શૂન્ય પર આઉટ થઈને કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ બનાવ્યા હતા.

ભારતીય ટીમ (Team India) ના દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસની શરૂઆત રવિવારે સેન્ચુરિયન ટેસ્ટથી થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચો રમાશે અને ત્યારબાદ સમાન સંખ્યામાં મેચોની વનડે શ્રેણી રમાશે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એકપણ શ્રેણી જીતી શકી નથી. તેથી તેમની પાસે તક છે. આ સિવાય આ શ્રેણી ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓ માટે પણ છેલ્લી લાઈફલાઈન છે જેમને ટીમમાંથી બહાર થવાનું જોખમ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) કહ્યું કે ટીમ એક તરફ જીતી શકાતી નથી, ભલે તે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હોય કે ચેતેશ્વર પૂજારા. પુજારા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ શ્રેણીમાં તેનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે.

તેમણે કહ્યું, ‘અમે આ વાત જાણીએ છીએ કે આવી શ્રેણી ટીમના દરેક વ્યક્તિના યોગદાનથી જીતવામાં આવે છે અને એકલા વિરાટ કે પૂજારા દ્વારા નહીં. એટલા માટે દરેકનું યોગદાન મહત્વનું છે. પુજારા ટીમનો મહત્વનો સભ્ય છે અને બાકીના પણ છે, તેથી ટીમમાં દરેકનું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. અમે જાણીએ છીએ કે અમને દરેકના યોગદાનની જરૂર છે.

 

આ પણ વાંચોઃ Sixer King 2021: ટીમ ઇન્ડિયામાં આવ્યો નવો ‘સિક્સર કિંગ’, 2021માં કર્યો છગ્ગાઓનો વરસાદ, રોહિત શર્માને છોડી દીધો પાછળ

આ પણ વાંચોઃ Boxing Day Test: ‘બોક્સિંગ’ શબ્દને ક્રિકેટ સાથે શુ છે સંબંધ ? 26 ડીસેમ્બર થી શરુ થતી ટેસ્ટ મેચને અપાય છે ખાસ ઓળખ, જાણો

Published On - 5:52 pm, Sat, 25 December 21

Next Article