ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ પ્રથમ એડિશનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ જીતી શકી નહોતી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સારો મોકો છે. ભારત 2013થી આઈસીસી ટ્રોફી જીતવાના દુકાળનો અંત લાવવા ઈચ્છે છે. આ મેચ ઈંગ્લેન્ડમાં છે અને મેચ દરમિયાન વરસાદ અવરોધ બની શકે છે.
આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ હશે કે જો ફાઈનલમાં વરસાદ પડે, મેચ ડ્રો થઈ જાય તો મેચનું પરિણામ શું આવશે. હાલમાં જ વરસાદના કારણે IPLની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. આવી સ્થિતિમાં, ચાહકો ઈચ્છશે નહીં કે વરસાદ વધુ એક ફાઈનલમાં અવરોધ બને.
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove 🙌
Hear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash 👌🏻👌🏻 – By @RajalArora
Full Video 🎥🔽https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023
ઈંગ્લેન્ડમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. વર્લ્ડવેધરઓનલાઈન અનુસાર, 7 થી 11 જૂન વચ્ચે સતત વરસાદની સંભાવના છે. પ્રથમ ત્રણ દિવસ એટલે કે 7 થી 9 જૂન દરમિયાન હળવો વરસાદ પડીhttps://twitter.com/BCCI/status/1663780052167970817 શકે છે. પરંતુ 10 થી 11 જૂને વધુ વરસાદની શક્યતા છે. હવે જો વરસાદ પડે તો શું થશે? તો, આઈસીસીએ આ ફાઈનલ માટે વધારાનો દિવસ એટલે કે રિઝર્વ ડે રાખ્યો છે.
આ પણ વાંચો: IPL : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?
પરંતુ તે પછી પણ મેચનું પરિણામ નહીં આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વિજેતા બનશે. જો બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા બને છે તો અહીં બીજો પ્રશ્ન ઊભો થશે અને તે એ છે કે આવી સ્થિતિમાં ઈનામી રકમનું શું થશે. વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ રૂપિયા મળશે. તો બીજી તરફ, રનર્સઅપ ટીમને સાડા છ કરોડની રકમ મળશે, પરંતુ જો બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા બને તો બંને ટીમોને 6.50-6.50 કરોડ રૂપિયા મળશે.
More than bragging rights on the line for the #WTC23 Final
More on the full prize pot 👇https://t.co/kO4HdTh5oE
— ICC (@ICC) May 26, 2023
ICCએ આ મેચ માટે રિઝર્વ ડેનો વિકલ્પ રાખ્યો છે. વરસાદના કારણે નિર્ધારિત સમયમાં મેચ પૂર્ણ નહીં થાય ત્યારે આ દિવસનો ઉપયોગ કરવામાં આવશે. જો નિર્ધારિત પાંચ દિવસમાં રમત નિર્ધારિત સમય કરતા ઓછી રમાઈ હોય અને વિજેતા નક્કી ન થાય, તો અનામત દિવસનો પણ ઉપયોગ કરી શકાય છે. જો મેચનું પરિણામ નિર્ધારિત પાંચ દિવસમાં આવે છે, તો પછી તેની કોઈ જરૂર રહેશે નહીં. મેચના દરેક દિવસે નિર્ધારિત ઓવરો કરતાં ઓછી મેચ રમાશે તો જ મેચ રિઝર્વ ડે પર રમાશે. મેચ રેફરી નક્કી કરશે કે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં.