
વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયાનો મુકાબલો રવિવારે ન્યુઝીલેન્ડ સામે થશે. આ એ જ ન્યુઝીલેન્ડ છે જેણે 4 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ને ઊંડો ઘા આપ્યો હતો. કીવી ટીમે 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવી હતી. હવે આ બંને ટીમો ફરી એકવાર ધર્મશાલા (Dharamshala) માં વર્લ્ડ કપમાં ટકરાશે. ધર્મશાલામાં 7 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે મુકાબલો થશે.
ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. ભારતે અહીં 4 મેચ રમી છે જેમાંથી તેણે 2માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ICC વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. બંને વચ્ચે રમાયેલી 9 મેચોમાં ન્યૂઝીલેન્ડે 5માં જીત મેળવી હતી જ્યારે ભારતે 3માં જીત મેળવી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી.
2016માં રમાયેલી તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી, જેનાથી વર્લ્ડ કપ મેચ પહેલા યજમાન ટીમનું મનોબળ વધશે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ મેચમાં 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ દર્શાવે છે કે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે ભારતને આ ઓલરાઉન્ડરની ખોટ પડશે.
Top of the standings clash
Who’s winning this high-stakes #CWC23 match today?
More on #INDvNZ ➡️ https://t.co/bPvMORvTDP pic.twitter.com/vDHt2ytFfC
— ICC (@ICC) October 22, 2023
ભારતને આ મેદાન પર જાન્યુઆરી 2013માં તેની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ડિસેમ્બર 2017માં રમાયેલી છેલ્લી મેચમાં શ્રીલંકાએ તેને આ જ અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 38.2 ઓવરમાં માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સુરંગા લકમલ (13 રનમાં ચાર વિકેટ) અને નુવાન પ્રદીપ (37 રનમાં બે વિકેટ) અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (65)ની અડધી સદીની મદદથી ભારતીય ટીમે માત્ર 29 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માંડ માંડ 100 સુધી પહોંચી હતી. જવાબમાં શ્રીલંકાએ 21મી ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેદાન પર ભારતે ન્યૂઝીલેન્ડ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝને પણ 59 રનથી હરાવ્યું હતું.
ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ ત્રણ મેચમાં 106ની એવરેજથી સૌથી વધુ 212 રન બનાવ્યા છે. તે અહીં ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ મેચમાં પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે 127 રન અને ન્યુઝીલેન્ડ સામે અણનમ 85 રનની ઈનિંગ્સ રમીને તેણે ભારતને બે સરળ જીત અપાવી હતી.
વર્તમાન ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બીજા નંબરના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ મેદાન પસંદ નથી. તે અહીં ત્રણ મેચમાં માત્ર ચાર, 14 અને બે રનની ઇનિંગ્સ રમી શક્યો છે. વર્તમાન ભારતીય ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ આ મેદાન પર સારું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શે વર્લ્ડ કપમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આવો કમાલ કરનાર માત્ર બીજો ખેલાડી
જાડેજા અને શમીએ અહીં બે મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી છે, જ્યારે બુમરાહને બે મેચમાં માત્ર એક જ સફળતા મળી છે. સ્પિનર કુલદીપ યાદવે અહીં એક મેચ રમી છે પરંતુ શ્રીલંકા સામેની આ મેચમાં તેને બોલિંગ કરવાની તક મળી નથી. અનુભવી ઓફ સ્પિનર અશ્વિને એક મેચ અહીં ઈંગ્લેન્ડ સામે રમી હતી જેમાં 10 ઓવરમાં 50 રન આપવા છતાં કોઈ સફળતા મેળવી શક્યો ન હતો.
Published On - 9:12 am, Sun, 22 October 23