Virat Kohli Resign: વિરાટ કોહલી પર BCCI એ કોઇ દબાણ કર્યુ નથી, બોર્ડના અધિકારીએ કરી સ્પષ્ટતા

|

Jan 15, 2022 | 8:37 PM

ગત મહિને BCCI દ્વારા વિરાટ કોહલી (Virat Kohli) ને ODI ટીમના સુકાનીપદેથી હટાવવાના નિર્ણય બાદ ઘણો વિવાદ થયો હતો.

Virat Kohli Resign: વિરાટ કોહલી પર BCCI એ કોઇ દબાણ કર્યુ નથી, બોર્ડના અધિકારીએ કરી સ્પષ્ટતા
Virat Kohli: ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી અચાનક રાજીનામું આપ્યુ.

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ જ સવાલો ઉઠી રહ્યા છે કે શું તેમના પર BCCI તરફથી કોઈ દબાણ હતું? આ મામલામાં BCCI સાફ આવ્યું છે અને બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલે (Arun Dhumal) કહ્યું છે કે બીસીસીઆઈ તરફથી કોહલી પર કોઈ દબાણ નથી અને તે 2-3 વર્ષ વધુ સુકાની બની શક્યો હોત. ગયા મહિને જ BCCIએ કોહલીને ODI ટીમની કેપ્ટન્સી પરથી હટાવી દીધો હતો, જે બાદ ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ આવી વાતો કહી હતી, જેના કારણે તેના અને બોર્ડ વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા.

હવે આવી સ્થિતિમાં, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે BCCI તરફથી કોહલી પર રાજીનામું આપવાનું કોઈ દબાણ ન હતું, જેને બોર્ડે ફગાવી દીધું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતીય કેપ્ટનના રાજીનામા પછી, TV9 નેટવર્કે BCCIના ખજાનચી અરુણ ધૂમલ સાથે વાત કરી અને ધૂમલે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું, “કોહલી પર BCCI કે પસંદગીકારો તરફથી રાજીનામું આપવાનું કોઈ દબાણ નથી. આ નિર્ણય સાચો છે કે ખોટો તે કહી શકાય નહીં. આ તેમનો નિર્ણય છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. તે આગામી 2-3 વર્ષ સુધી કેપ્ટન બની શક્યો હોત.”

ધૂમલે એમ પણ કહ્યું કે સિરીઝ હારવાનો કોઈ અર્થ નથી પરંતુ કદાચ આગળ વધવાનો આ જ યોગ્ય રસ્તો છે. ધૂમલે કહ્યું, “માત્ર એક શ્રેણી ગુમાવવાનો કોઈ અર્થ નથી. સફળતા અને હાર એ રમતનો એક ભાગ છે. કદાચ આ આગળ વધવાનો સાચો રસ્તો છે. બીસીસીઆઈ તેમના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન અને સન્માન કરે છે.”

 

BCCI સાથે વિવાદ ચાલી રહ્યો હતો

કોહલી અને બીસીસીઆઈ બાદ છેલ્લા કેટલાક સપ્તાહમાં આ વિવાદ સામે આવ્યો હતો. કોહલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં T20 ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી ડિસેમ્બરમાં કોહલીને તેની મરજી વગર વનડેની કેપ્ટનશીપથી પણ હટાવી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેણે કોહલીને ટી20ની કેપ્ટનશીપ ન છોડવાની અપીલ કરી હતી. આ પછી કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેને કેપ્ટનશિપ છોડવા માટે કોઈએ મનાઈ કરી ન હતી, પરંતુ બધાએ તેનું સ્વાગત કર્યું હતું. અહીંથી બોર્ડ અને કોહલી વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો.

 

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનુ બતાવ્યુ મોટું કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ, વાંચો પુરુ નિવેદન

Published On - 8:18 pm, Sat, 15 January 22

Next Article