TNPL 2023 : પગાર માત્ર 10 લાખ, તો પછી કેમ અશ્વિન રમી રહ્યો છે આ લીગમાં, જાણો કારણ

|

Jun 14, 2023 | 7:09 PM

સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળી પરંતુ હવે તે TNPLમાં રમીને પોતાનો રંગ બતાવશે.

TNPL 2023 : પગાર માત્ર 10 લાખ, તો પછી કેમ અશ્વિન રમી રહ્યો છે આ લીગમાં, જાણો કારણ
Ashwin in TNPL

Follow us on

રવિચંદ્રન અશ્વિન છેલ્લા એક સપ્તાહથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વના નંબર વન રેન્કિંગ ટેસ્ટ બોલરને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા દ્વારા પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ભલે અશ્વિનને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં તક મળી ન હતી, પરંતુ હવે તે એક નાની ટૂર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે, જ્યાં તેને કોઈ રોકી શકશે નહીં. સવાલ એ ઉઠી રહ્યો છે કે અશ્વિન આ ટૂર્નામેન્ટમાં માત્ર 10 લાખ રૂપિયા ફી લઈ કેમ રમી રહ્યો છે?

અશ્વિન 11 જૂન, રવિવારના રોજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતની હારના એક દિવસ પછી જ ઈન્ડિયા પરત ફર્યો હતો. કેટલાક ખેલાડીઓ લંડનમાં રોકાયા, કેટલાક અન્ય દેશોમાં ફરવા ગયા, જ્યારે કેટલાક તેમના પરિવાર સાથે રજાઓ પર ગયા. અશ્વિન આવું કંઈક કરી શક્યો હોત પરંતુ તે પાછો ફર્યો કારણ કે TNPLની સાતમી સિઝન એટલે કે તમિલનાડુ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

અશ્વિન TNPLમાં રમશે

અશ્વિન શરૂઆતથી જ આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે અને તે 2023ની સિઝનમાં ડિંડીગુલ ડ્રેગનની ટીમ તરફથી રમશે. ટીમની પ્રથમ મેચ બુધવારે 14 જૂને રમાશે. આ જ કારણ છે કે અશ્વિન તરત જ લંડનથી ચેન્નાઈ પરત ફર્યો હતો. અશ્વિનને ડિંડીગુલ ડ્રેગન દ્વારા 10 લાખ રૂપિયાની કિંમતે રિટેન કરવામાં આવ્યો હતો. હવે તમે પણ વિચારતા હશો કે અશ્વિન આ ટૂર્નામેન્ટમાં માત્ર 10 લાખ રૂપિયામાં કેમ રમી રહ્યો છે?

આનો જવાબ આપતા પહેલા અમે તમને જણાવીએ કે અશ્વિન ક્રિકેટમાંથી કેટલી કમાણી કરે છે. અશ્વિન BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A ગ્રેડનો ભાગ છે. આ અંતર્ગત તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે બીજી તરફ તેને IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 5 કરોડ રૂપિયા મળે છે. એટલું જ નહીં, અશ્વિનને એક ટેસ્ટ મેચની ફી તરીકે 15 લાખ રૂપિયા મળે છે. જે TNPLમાં તેની ફી કરતા પણ વધુ છે.

અશ્વિન માત્ર 10 લાખમાં જ કેમ રમે છે?

આ પ્રશ્નનો જવાબ જાણવા માટે પહેલા TNPLનું મહત્વ સમજવું પડશે. IPLએ જે રીતે ભારતીય ક્રિકેટને તાકાત આપી છે, ઘણા નવા ખેલાડીઓ આપ્યા છે, તે જ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં TNPLએ તમિલનાડુ ક્રિકેટની તાકાત વધારી છે, જેની અસર સ્થાનિક ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમ સતત સફળ રહી છે. એટલા માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ ટૂર્નામેન્ટનું સ્તર સારું થઈ રહ્યું છે અને આ જ કારણ છે કે જ્યારે પણ અશ્વિનને તક મળે છે ત્યારે તે આ ટૂર્નામેન્ટનો ભાગ બની જાય છે. અશ્વિનનો ક્રિકેટનો ક્રેઝ કેવો છે તે કોઈનાથી છુપાયેલું નથી. અશ્વિન માટે આ ટૂર્નામેન્ટ કમાણીનું સાધન નથી, પરંતુ ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાનો માર્ગ છે. ઇન્ટરનેશનલ સિરીઝ અને IPL જેવી વ્યસ્ત ટુર્નામેન્ટ વચ્ચે તે પોતાની યુટ્યુબ ચેનલ પર પણ સતત ક્રિકેટની ચર્ચા કરતો રહે છે.


આ પણ વાંચોઃ Rishabh Pant Fitness : ફિટનેસની ‘સીડી’ ચઢી રહ્યો છે રિષભ પંત, Video જોઈને ફેન્સ થશે ખુશ

TNPL હરાજીમાં પણ ભાગ લીધો હતો

અનુભવી ઑફ સ્પિનર અશ્વિન તેની રમતમાં સતત પ્રયોગ કરતો રહે છે. બોલિંગમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે અને બેટિંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે તે રમવાની કોઈ તક છોડતો નથી. આ વર્ષે યોજાયેલી હરાજી દરમિયાન તેણે પોતાની ટીમ માટે બોલી પણ લગાવી હતી. માત્ર TNPL જ નહીં, પરંતુ તે ચેન્નાઈમાં તેની સ્થાનિક ક્લબ માટે પણ ઘણી વખત રમ્યો છે.

અશ્વિન માટે ક્રિકેટ જ તેનું જીવન છે અને તે ફ્રી સમયમાં પણ ક્રિકેટ સાથે જોડાયેલો રહે છે. તે ચેન્નાઈમાં પોતાની એકેડમી પણ ચલાવે છે અને જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે ત્યાં હાજર યુવા ક્રિકેટરો સાથે સમય વિતાવે છે અને તેમને ટ્રેનિંગમાં મદદ કરે છે. TNPLમાં રમીને પણ તે તમિલનાડુના યુવા ક્રિકેટરોને તૈયાર કરવામાં મદદ કરે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article