‘બાયો-બબલ’ યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ

|

Apr 06, 2022 | 9:52 PM

મહત્વનું છે કે એપ્રિલ 2020 ની સરખામણીમાં એપ્રિલ 2022 માં કોરોનાના કેસ દેશભરમાં નહિવત થતા ગયા છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) મહત્વનો નિર્ણય લઇ શકે છે.

બાયો-બબલ યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ
BCCI Office (PC: Twitter)

Follow us on

ક્રિકેટમાં ‘બાયો-બબલ’ (Bio-Bubble) ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. સુત્રો દ્વારા મળી રહેતા એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આ મહિને શરૂ થનારી 2 ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ક્રિકેટરોની બબલ લાઈફનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત ઉપયોગ અંડર-19 કૂચ બિહાર ટ્રોફી અને સીનિયર મહિલા T20 ટ્રોફીમાં થશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં (Domestic Cricket) ભાગ લેનારી ટીમોને કહેવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટમાં જોડાતા પહેલા ખેલાડીઓને કોઈપણ પ્રકારની ક્વોરેન્ટાઈનમાં રહેવાની જરૂર નથી. કોવિડ-19 ની શરૂઆત પછી આ પ્રથમ વખત બનશે. જ્યારે ટીમો ભારતમાં ક્વોરેન્ટાઇન અને બાયો-બબલ (Bio-Bubble) વિના ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જોકે, આ સમયગાળા દરમિયાન નિયમિત આરટીપીસીઆર પરીક્ષણો થશે. જેથી ચેપના જોખમને માપી શકાય. અહેવાલ મુજબ, ટીમો તેમની મેચના ત્રણ દિવસ પહેલા સ્થળ પર ભેગા થઈ શકે છે અને બીજા જ દિવસે પ્રેક્ટિસ શરૂ કરી શકે છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાયો-બબલથી થતા થાક-તણાવને ઓછો કરવા બોર્ડનો પ્રયત્ન

નોંધનીય છે કે એપ્રિલ 2020 ની સરખામણીએ આ એપ્રિલમાં કોરોનાના કેસ નહિવત છે. દેશમાં દરરોજ જોવા મળતા કોરોનાના કેસોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, BCCI એ ખેલાડીઓમાં બાયો-બબલના કારણે થનારી થાક અને તણાવને ઓછો કરવા માટે આ પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે, ટીમો પાસે કોરોના ચેપને રોકવા માટે સાવચેતી રાખવાની અપેક્ષા રાખવામાં આવશે. આ હેઠળ, ટીમો હોટલના એક ભાગમાં રોકાશે અને ખેલાડીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવશે કે તેઓ બહારના લોકોને ન મળે.

 

ટીમના સભ્યોની સંખ્યા 18 ને બદલે 15 થઇ શકે છે

આ સાથે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ ટુર્નામેન્ટના સ્થળોને પણ મર્યાદિત રાખશે. જેથી કરીને મુસાફરી દરમિયાન કોરોના સંક્રમણના જોખમને ટાળી શકાય. એવું પણ બને કે 18 સભ્યોની ટીમને બદલે 15 સભ્યોની ટીમની મર્યાદા રાખવામાં આવે.

આ પણ વાંચો : MI vs KKR, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો કોલકાતા સામે 161 રનનો સ્કોર, સૂર્યકુમારની અડધી સદી

આ પણ વાંચો : KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો

Next Article