BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

|

Sep 14, 2021 | 4:27 PM

માંચેસ્ટર ટેસ્ટ મેચ રદ થવાને લઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને નુકશાન થયુ છે. એક અનુમાન મુજબ નુકશાનની રકમ 407 કરોડ રુપિયાની છે.

BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ
BCCI

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે માંચેસ્ટરમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ રદ કરવાનો નિર્ણય કોરોનાના સંકટને જોતા લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટ મેચ રદ્દ થવાને કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને ઘણું નુકસાન થયું છે. એક અંદાજ મુજબ નુકસાનની આ રકમ રૂપિયા 407 કરોડ જેટલી છે. ECB મેચ રદ્દ થયા બાદ BCCI પાસેથી આ રકમની માંગ કરી રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) ઈંગ્લેન્ડને કમાણી કરવા માટે એક અદ્ભુત ઓફર કરી છે.

 

શું છે આ ઓફર, હવે માત્ર એટલું જ જાણો. આ ઓફર T20 ની 2 મેચ વધુ અથવા એક ટેસ્ટ મેચ રમવા માટે છે. ભારતે આવતા વર્ષે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ભારતને તે પ્રવાસમાં જેટલી T20 મેચ રમવાની દરખાસ્ત છે, ભારત જે વેળા સંખ્યા કરતા કરતા 2 વધુ મેચ રમશે. અથવા તેના બદલે તે એક ટેસ્ટ મેચ રમી શકે છે. આમ તો જોવામાં આવે તો આ ઓફર સારી છે. પરંતુ મામલો હવે આ બાબતે ECB ની ના પાસે છે, એટલે કે હવે તેણે નક્કી કરવાનું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આવતા વર્ષે ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ

આગામી વર્ષે જુલાઈમાં ટીમ ઈન્ડીયાના ઈંગ્લેન્ડ પ્રવાસનું શિડ્યૂલ શું છે, પહેલા તે જાણી લો. સમયપત્રક મુજબ, આ પ્રવાસ પર, ટીમ ઈન્ડીયાએ ઈંગ્લેન્ડ તરફથી 3 T20 અને જેટલી વનડે શ્રેણી રમવાની છે. ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 1 જુલાઇના રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે T20 મેચથી શરૂ થશે. બીજી T20 મેચ 3 જુલાઇએ ટ્રેન્ટબ્રિજ ખાતે અને ત્રીજી T20 મેચ 6 જુલાઇએ રમાશે. આ પછી 9, 12 અને 14 જુલાઈના રોજ 3 વનડેની શ્રેણી રમાશે.

BCCI એ ECB ને આપી છે લાજવાબ ઓફરઃ જય શાહ

આવતા વર્ષે ટીમ ઇન્ડીયાના ઇંગ્લેન્ડના પ્રવાસને લઇને જય શાહે મીડિયા અહેવાલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. તેમણે કહ્યુ કે, BCCI એ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે આપણે આવતા વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરીશું, ત્યારે 3 T20 રમવાને બદલે, અમે 5 T20 ની શ્રેણી રમશું. જો તેઓ T20 રમવા નથી માંગતા, તો અમે તેમને આનો વિકલ્પ આપ્યો છે. અમે ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ પણ રમી શકીએ છીએ. જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, હવે અમારી બેમાંથી કઈ ઓફર ECB પસંદ કરે છે, તે તેમના પર નિર્ભર કરે છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે અપેક્ષા રાખી હતી કે માંચેસ્ટરમાં ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમ ભરેલું રહેશે. પરંતુ તેના રદ થવાને કારણે તેને માત્ર ટિકિટથી 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી થવાનું નુકસાન સહન કરવું પડ્યુ છે. આ સિવાય બ્રોડકાસ્ટિંગ આવકમાંથી લગભગ 304 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ECB એ આ નુકસાન માટે BCCI ને જવાબદાર ગણાવ્યું છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે 

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

Next Article