Indian Cricket Team Changes: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવું છે તો માત્ર ખેલાડીઓ જ નહીં, આ મોટા ફેરફારો પણ કરવા પડશે

|

Jun 15, 2023 | 9:36 AM

Indian Cricket Team: જો ટીમ ઈન્ડિયા સતત નિષ્ફળ થઈ રહી છે, તો તેનું એકમાત્ર કારણ ખેલાડીઓ નથી, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે, જેના કારણે ખેલાડીઓ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરી શકતા નથી.

Indian Cricket Team Changes: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવું છે તો માત્ર ખેલાડીઓ જ નહીં, આ મોટા ફેરફારો પણ કરવા પડશે

Follow us on

સતત 10 વર્ષ અને 9 ટુર્નામેન્ટ. આટલો સમય અને ઘણી તકો હાથમાં આવી, પરંતુ વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ અને સૌથી પ્રખ્યાત ક્રિકેટરોથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ ખાલી હાથ રહી. 2014માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં શરૂ થયેલી સિરીઝ ગયા અઠવાડિયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર સાથે ચાલુ રહી હતી. બદલાવની વાતો થઈ રહી છે, ખેલાડીઓને બદલવાના સૂચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે સમગ્ર સિસ્ટમ, પદ્ધતિ અને વિચારસરણી બદલવાની જરૂર છે.

ભારતે છેલ્લા 10 વર્ષમાં માત્ર એક ટૂર્નામેન્ટ છોડી દરેક આઈસીસી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ કે પછી ફાઈનલ સુધી સ્થાન બનાવ્યું છે. ચાર વખત ભારતીય ટીમ ફાઈનલમાં હારી છે. ત્યારે સવાલ એ થાય છે શું ટીમ ક્યારે ચેમ્પિયન બની શકશે ? ટીમને ચેમ્પિયન બનવા માટે શું કરવું પડશે. સીનિયર ખેલાડીઓના સ્થાને યુવાઓને લઈ એક વિકલ્પ છે. બાકી અન્ય વિકલ્પ તમને આગળ જણાવીશું.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ એક એવો મુદ્દો છે, જે સૌથી મોટું વિવાદનું કારણ છે. પ્રાથમિક્ત ઈન્ટરનેશનલ ક્રિકેટ કે પછી આઈપીએલ,નિશ્ચિત બંન્ને સાથે ચાલી શકે છે પરંતુ જરુર પડવા પર કોને પ્રાથમિકતા મળશે ? ઉદાહરણ માટે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ ખિતાબી મુકાબલાના 10 દિવસ પહેલા અનેક ખેલાડીઓ આઈપીએલમાં વ્યસ્ત હતા. તે પણ સતત 2 મહિના સુધી.

 

 

 

આ જાણતા હવે આગળ એક ખિતાબી મુકાબલો આવશે

આઈપીએલમાંથી આરામ આપીને અને અગાઉથી ઈંગ્લેન્ડ મોકલીને ખેલાડીઓને તૈયાર ન કરી શકાયા હોત! આવી સ્થિતિ ભવિષ્યમાં પણ આવશે અને બોર્ડ અને ખેલાડીઓ લોભ છોડીને તેમાંથી બોધપાઠ લે તે જરૂરી છે.

પૂર્ણ થઈ રહ્યું છે સ્ટાર કલ્ચર

આ ભારતીય ક્રિકેટની સૌથી મોટી સમસ્યા છે. છેલ્લા 2 દાયકાથી આની અસર વધુ થઈ રહી છે. આજના સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવ્યા પહેલા જ ખેલાડીઓ આઈપીએલથી સ્ટાર બની જાય છે. જ્યાં પહેલા જ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર છે.આ સ્ટાર ખેલાડીઓની કોઈ જવાબદારી નક્કી થતી જોવા મળી નથી.

પ્રદર્શનના આધારે ટીમની પસંદગી

આ સૌથી મહત્વપૂર્ણ છે અને તે સિરીઝ માટે ટીમની પસંદગી અને પ્લેઈંગ ઈલેવનની મુજબની પસંદગી સાથે સંબંધિત છે. વર્લ્ડ કપ 2019માં અંબાતી રાયડુને કેવી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યો. અથવા યુઝવેન્દ્ર ચહલ જેવા સફળ લેગ-સ્પિનરને સતત બે T20 વર્લ્ડ કપમાં તક મળી નથી. તેવી જ રીતે, ડબલ્યુટીસી ફાઇનલમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ ન કરવો એ ઘણા ઉદાહરણો પૈકીનું એક છે. આ સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની પસંદગી કરીને તેમને તક આપવી જરૂરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article