
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. તેણે ચંદીગઢ સામે ગોવાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલા બેટિંગમાં તે ઓપનિંગમાં આવ્યો અને મહત્વપૂર્ણ રન બનાવ્યા અને બાદમાં બોલિંગમાં જોરદાર પ્રર્દર્શન કરી ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ T20 મેચમાં, ગોવાએ ટોસ હારવા છતાં, પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા. જવાબમાં, ચંદીગઢની આખી ટીમ 19 ઓવરમાં ફક્ત 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અર્જુન તેંડુલકરની શક્તિશાળી બોલિંગે ચંદીગઢની બેટિંગનો નાશ કર્યો.
લક્ષ્યનો પીછો કરતી વખતે ચંદીગઢની ઇનિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. અર્જુન તેંડુલકરે તેના ચાર ઓવરના સ્પેલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પાવરપ્લેમાં જ ચંદીગઢના બે સ્ટાર ખેલાડીઓને આઉટ કર્યા. અર્જુન તેંડુલકરે તેની પહેલી બે ઓવરમાં માત્ર 5 રન આપ્યા અને બે વિકેટ લીધી.
A fiery first spell from Arjun Tendulkar, as he took 2 wickets with some exceptional deliveries for Goa against Chandigarh.
PC: Jiostar#SMAT #ArjunTendulkar #Goa #Cricket pic.twitter.com/kU5A7z5Hl7
— OneCricket (@OneCricketApp) November 28, 2025
ત્યારબાદ અર્જુન તેંડુલકરે બાકીની બે ઓવરમાં માત્ર 12 રન આપ્યા અને એક વિકેટ લીધી. આનો અર્થ એ થયો કે તેણે ચાર ઓવરમાં 17 રન આપીને કુલ ત્રણ વિકેટ લીધી, જેના પરિણામે ચંદીગઢ 19 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
અર્જુન તેંડુલકર IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વતી રમશે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા તેને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે ₹30 લાખમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. આ સિઝન અર્જુન તેંડુલકર માટે મહત્વપૂર્ણ રહેશે. આ પહેલીવાર હશે જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ સિવાય કોઈ અન્ય ટીમ માટે રમશે.
આ પણ વાંચો: IND vs SA: વિરાટ અને રોહિતની સાથે રિષભ પંત માટે પણ આ વનડે શ્રેણી છે મહત્વપૂર્ણ, જો ફ્લોપ રહ્યો તો …