ટીમ ઈન્ડિયાએ સચિન તેંડુલકરને જીત સાથે અલવિદા કહ્યું અને આ મેચ તેના ધરેલું મેદાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. સચિને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેમણે બીસીસીઆઈને આગ્રહ કર્યો કે, આ મેચ તેના ધરેલું મેદાન પર રમાડવામાં આવે જેથી તેની માતા તેને પ્રથમ વખત લાઈવ મેચ રમતા જોઈ શકે. આ સાથે સચિને કેટલીક યાદગાર ક્ષણો શેર કરી હતી
સચિને કહ્યું કે, છેલ્લી મેચ પહેલા તેમણે બીસીસીઆઈને કહ્યું તેની 2 મેચ હજુ રમાવાની બાકી છે. અને જેમાંથી છેલ્લી મેચ મુંબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સચિન ઈચ્છતો હતો કે, તેની માતા સ્ટેડિયમમાં આવી અને તેમને લાઈવ રમતા જોઈ શકે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ મુંબઈમાં સચિનની છેલ્લી મેચમાં યજમાની કરવાનો નિર્ણય લીધો હતો. સચિને કહ્યું કે, 24 વર્ષમાં માત્ર એક વખત મારી માતાએ મને લાઈવ મેચ રમતો જોયો. સચિને આ સાથે કહ્યું કે, તેના ભાઈ સિવાય તેના પરિવારના અન્ય કોઈ સભ્યોએ તેને લાઈવ રમતા જોયા ન હતા.
ભારતના પૂર્વ કેપ્ટન સિચને જણાવ્યું હતુ કે, મેદાન પર તેની માતાને જોઈ તે ખુબ ખુશ થયા હતા. જ્યારે હું બેટિગ કરી રહ્યો હતો ત્યારી માતાને મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા હતા.સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકોએ મારી માતાને મોટી સ્ક્રીન પર જોઈ અને તે સમયે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો પરંતુ તેમ છતાં મેં બેટિંગ પર ધ્યાન આપ્યું હતું.