INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન

|

Feb 23, 2022 | 4:34 PM

અમે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બુમરાહ, રિષભ પંત અને લોકેશ રાહુલને કેપ્ટન તરીકે ગ્રુમ કરી રહ્યા છીએ: ચેતન શર્મા

INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન
Rohit Sharma and Jasprit Bumrah (File Photo)

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “તે શ્રીલંકા (Sri Lanka Cricket) સામેની આગામી ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઉપ સુકાની બનાવવા પર ખુશ છે. તેણે કહ્યું કે જો કોઇ બોલર કે બેટ્સમેન લીડરશિપ ગ્રુપનો ભાગ બને છે તો તેને કોઇ જ તકલીફ નથી. બુમરાહને આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં થયેલ વન-ડે સીરિઝ માટે પહેલીવાર ભારતનો ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને આ ભુમિકા સોપવામાં આવી છે.

 

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?


જસપ્રીત બુમરાહને લોકેશ રાહુલની ગેરહાજરીમાં શ્રીલંકા સામેની સ્થાનિક સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો છે. રાહુલ આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ભારતનો ઉપ સુકાની બન્યો હતો. જ્યારે રિષભ પંતને ટી20 સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. રિષભ પંતે પણ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બ્રેક લીધો છે.

જાણો, વર્ચુઅલ પત્રકાર પરિષદમાં રોહિત શર્માએ શું કહ્યું,

તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે તે બેટ્સમેન છે કે બોલર. હું તેને સારી રીતે ઓળખું છું અને હું સમજુ છું કે તેની પાસે કેવું ક્રિકેટનું દિમાગ છે. લીડરશિપના રોલની ભુમિકામાં પગલું મુકવું તેના માટે સારૂ રહેશે. તે પોતાની રમતને એક આગળના લેવલ સુધી લઇ ગયો છે. મને વિશ્વાસ છે કે આગળ પણ તે વધતો રહેશે. આ ભુમિકા જે તેને મળી છે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધારે વધશે.

બુમરાહ, પંત અને રાહુલ લીડરશિપ માટે સંભવિત દાવેદાર છેઃ રોહિત શર્મા

આ વચ્ચે રોહિત શર્માએ એ પણ કહ્યું કે બુમરાહ, રાહુલ અને રિષભ પંત ટીમમાં લીડરશિપની ભુમિકા માટે મજબુત દાવેદાર છે. તેણે વધુમાં કહ્યું કે, “જો તમે જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે વાત કરો છો તો આ તમામ લોકોએ ભારતીય ક્રિકેટમાં ભવિષ્યમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી પડશે.”

હાલમાં જ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ કહ્યું હતું કે અમે રોહિત શર્માની લીડરશિપમાં લોકેશ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સુકાની માટે ગ્રુપ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર

Next Article