IND vs WI: ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બની શકે છે, વેસ્ટ ઇન્ડિઝ સિરીઝમાં થઇ શકે છે મોટો નિર્ણય!

|

Jan 29, 2022 | 11:05 PM

ભારતીય ટીમ (Team India) માં છેલ્લા કેટલાક મહિનામાં કેપ્ટન્સી અને વાઈસ-કેપ્ટન્સીમાં ઘણા ફેરફારો થયા છે. ભુવનેશ્વર કુમારથી લઈને જસપ્રીત બુમરાહ આ રોલમાં જોવા મળ્યા છે.

IND vs WI: ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બની શકે છે, વેસ્ટ ઇન્ડિઝ સિરીઝમાં થઇ શકે છે મોટો નિર્ણય!
Rishabh Pant ને પ્રથમ વન ડે મેચમાં વાઇસ કેપ્ટન બનાવી શકે છે

Follow us on

છેલ્લા 3 મહિનાથી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં નેતૃત્વનો મુદ્દો છે. વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે અને તેના સ્થાને ODI-T20માં રોહિત શર્મા (Rohit Sharma) ની નિમણૂક કરવામાં આવી છે. તે જ સમયે, ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માત્ર કેપ્ટનશીપ જ નહીં પરંતુ વાઈસ-કેપ્ટન્સીને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. હવે ફરી એકવાર આ મુદ્દો ઉભો થયો છે અને એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમમાં વધુ એક વાઇસ કેપ્ટન જોવા મળી શકે છે. આ વખતે ઋષભ પંત (Rishabh Pant ) ને આ જવાબદારી મળી શકે છે.

કેએલ રાહુલને વનડે અને ટી20માં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન રોહિત શર્માની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમની ઉપ-કપ્તાની પણ સંભાળી હતી. તેને એક ટેસ્ટમાં સુકાની બનવાની તક પણ મળી હતી.

ભારતીય ટીમે છેલ્લા કેટલાક મહિનામાં ભુવનેશ્વર કુમારથી લઈને કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે. ભુવનેશ્વર કુમાર ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસ પર ODI T20 શ્રેણીમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. તે જ સમયે, રાહુલને ODI-T20માં નિયમિતપણે આ જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી, ત્યારબાદ જસપ્રીત બુમરાહને પ્રથમ વખત વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે આ યાદીમાં ઋષભ પંતનું નામ જોડાઈ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્રથમ વનડેમાં મળશે તક!

પંતને આ તક ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચમાં જ મળી શકે છે. વાઇસ-કેપ્ટન રાહુલ 6 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણીની પ્રથમ વનડેમાં ટીમનો ભાગ નહીં હોય. તે બીજી વનડેમાં જોડાશે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રોહિતના કમાન્ડર તરીકે પંતના નામ પર વિચાર કરી રહ્યું છે. એક મીડિયા અહેવાલમાં બીસીસીઆઈના અધિકારીને ટાંકીને કહ્યું કે, શિખર (ધવન) અને ઋષભ બંને સારા ઉપ-કેપ્ટન બની શકે છે. વિકેટકીપર તરીકે, ઋષભ પંત સમીક્ષા અને ફિલ્ડ સેટિંગ જેવા સુકાનીના નિર્ણયોમાં સામેલ છે. જો તેઓ (ટીમ મેનેજમેન્ટ) જરૂર અનુભવે છે, તો તેમાંથી કોઈ એક આ કામ કરી શકે છે.

બુમરાહના આરામને લઇને પંતને તક

વાસ્તવમાં, રાહુલની ગેરહાજરીમાં, આ જવાબદારી ફરીથી જસપ્રીત બુમરાહને આપવામાં આવી હોત, પરંતુ બુમરાહ પોતે આ આખી શ્રેણી માટે ઉપલબ્ધ નથી. ટીમ ઈન્ડિયાના નંબર વન પેસરને તેના વર્કલોડને નિયંત્રિત કરવા અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20I શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બુમરાહ ઉપલબ્ધ ન હોવાના કારણે જ ઋષભને આ તક મળી શકે છે.

 

આ પણ વાંચોઃ ICC Under-19 World Cup: ભારતીય બોલરોએ ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને 111 રનમાં આઉટ કરી દીધુ, રવિ કુમારની 3 વિકેટ

આ પણ વાંચોઃ Australian Open: ફાઈનલ પહેલા ડેનિલ મેદવેદેવને મળી આકરી સજા, આયોજકોએ લગાવ્યો 8.2 લાખનો દંડ

 

Published On - 11:00 pm, Sat, 29 January 22

Next Article