Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)થી બીસીસીઆઈ ખુબ નારાજ છે અને બોર્ડની નારાજગીનું કારણ તેની ઈજા છે. જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે એશિયા કપમાંથી બહાર છે. જેનું નુકસાન ભારતે તેની પછીની મેચમાં ભોગવવું પડ્યું હતુ અને ટીમ એશિયા કપમાં સુપર 4માંથી ટોપ પર આવી શકી નહિ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમચાર મુજબ ભારતીય ઓલરાઉન્ડર જોડેજાથી બીસીસીઆઈ નારાજ છે કારણ કે, તે પોતાની લાપરવાહીના કારણે ટી20 વર્લ્ડકપ (T20 World Cup)થી બહાર થઈ ગયો છે. હાલમાં જાડેજાએ ધુંટણની સર્જરી કરાવી હતી.
મીડિયા રીપોર્ટસ અનુસાર તે ઈજાગ્રસ્ત થતા બચી શકતો હતો. દુબઈમાં તેને કેટલીક એક્ટિવિટી કરવા માટે કહેવામાં આવ્યું હતું.એશિયા કપમાંથી બહાર થયા બાદ, જાડેજા મુંબઈ પરત ફર્યો, જ્યાં તેણે BCCIની દેખરેખ હેઠળ સર્જરી કરાવી. જાડેજાની ઈજા બાદ હવે સ્કી બોર્ડની એક્ટિવિટીની જરૂર હતી કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. વર્લ્ડ કપ જેવી મહત્વની ટૂર્નામેન્ટ પહેલા શું ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી માટે એડવેન્ચર એક્ટિવિટી કરવી જરૂરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના કેટલાક અધિકારીઓ એ વાતથી નારાજ છે કે કેવી રીતે જાડેજાને ઈજા થઈ.
તેની ઈજા પર અત્યાર સુધી કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યો નથી. એવી અપેક્ષા હતી કે તે ઈજા અંગે પ્રશ્ન ઉઠશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયા જાડેજા વગર વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે. જાડેશ એશિયા કપમાંથી બહાર થયા બાદ મેનેજમેન્ટ તેનો યોગ્ય વિકલ્પ શોધવામાં અસફળ રહ્યા. જાડેજા પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં 35 રન બનાવ્યા હતા અને બોલિંગ પણ સારી કરી હતી. ત્યારબાદ હોંગકોંગ વિરુદ્ધ તેમણે 4 ઓવરમાં બોલિંગ કરી હતી. ત્યારબાદ તે સુપર 4 પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની જીતમાં હાર્દિક પંડ્યા સાથે હીરો બનેલો જાડેજા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે સુપર ફોરની મેચમાં રમી શક્યો ન હતો. જેમાંથી ભારતને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનું ટાઈટલનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.