IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!

|

May 20, 2023 | 7:57 PM

India vs Pakistan: Asia Cup માટે પાકિસ્તાનના પ્રવાસે ટીમ ઈન્ડિયાને નહીં મોકલવાની વાત BCCI સચિવ જય શાહે કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાન વિશ્વકપથી હટી જવાની ખોખલી ધમકીઓ આપી રહ્યુ હતુ.

IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!
પાકિસ્તાન ભારત આવવા તૈયાર!

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી અવાર નવાર કહેવામાં આવી રહ્યુ હતુ કે, તે વિશ્વકપથી હટી જશે. એશિયા કપ 2023 માં રમવા માટે ભારતને પાકિસ્તાન આવવા માટે દબાણ કરવા માટે જુદા જુદા પેંતરા સાથે તે નિવેદન બાજી કરી રહ્યુ હતુ. પરંતુ હવે પાકિસ્તાનના તેવર ઢીલા થઈ ગયા છે. પાકિસ્તાને હવે ઘૂંટણ ટેકવી દીધા છે. પોતાના હથીયાર હેઠા મુક્યા હોય એમ હવે ભારત આવવા માટે તેણે ICC ને સ્પષ્ટ કરી દીધુ છે.

ભારત આગામી વનડે વિશ્વકપનુ આયોજક છે. વિશ્વકપને ભારતીય ક્રિકેટ બોર્ડે તૈયારીઓ શરુ કરી દીધી છે અને ટૂંક સમયમાં શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવે તેની રાહ પણ જોવાઈ રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતમાં પોતાની મેચના સ્થળને લઈ હવે પોતાની સિક્યોરિટી ટીમને મોકલવાની વાત કરી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પાકિસ્તાન પહેલા સિક્યોરિટી ટીમ મોકલશે

ભારત પ્રવાસે ટીમને મોકલવાથી પહેલા પાકિસ્તાન આનાકાની જેવી વાતો કરી રહ્યુ હતુ. તેના પર પાકિસ્તાનમાં જ સવાલો થઈ રહ્યા હતા કે, પીસીબી વિશ્વકપને બોયકોટ કરવાની તાકાત ધરાવે છે ખરું. પરંતુ હવે પાકિસ્તાન એ વાતે સુર બદલવા લાગ્યુ છે કે, વિશ્વકપમાં રમવા માટે ભારત આવશે. આ માટે ભારત પ્રવાસ કરવા માટે પીસીબીએ આઈસીસીને આ માટે સાફ વાત કરી દીધી છે.

જ્યા પહેલા પાકિસ્તાન બોયકોટની વાત કરી રહ્યુ હતુ. પરંતુ હવે પાકિસ્તાન હવે ભારતમાં જે સ્થળે પોતાની ટીમ મેચ રમશે એવા સ્થળો પર પહેલા જ એક સિક્યુરિટી ટીમ મોકલશે. જે ભારત આવશે અને મેચના સ્થળો પર નિરીક્ષણ કરશે.

 

આ પહેલા પણ પાકિસ્તાનની એક સુરક્ષા ટી20 વિશ્વકપ દરમિયાન ભારત આવી હતી. જ્યાં વેન્યૂ બદલવા માટે વાત કરી હતી અને જેના બાદ મેચનુ સ્થળ કોલકાતા કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Ricky Ponting: વિરાટ કોહલીને લઈ ICC WTC Final પહેલા જ ‘ડર’ નો માહોલ, પોન્ટિંગે મેચ બતાવ્યુ કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:54 pm, Sat, 20 May 23

Next Article