ક્રિકેટનું મેદાન કે ટેનિસ કોર્ટ પછી તે ફૂટબોલનું મેદાન હોય કે અન્ય કોઈ રમતનું મેદાન. જો એમએસ ધોની હોય તો હારનો પ્રશ્ન જ નથી. જ્યાં ધોની ત્યાં જીત છે. ધોની હારને જીતમાં ફેરવે છે. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મેદાન પર ઉતરે છે. અને, આમાંના કેટલાક ઇરાદાઓ સાથે, તેણે રાંચીમાં રમાયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી. તેણે JSCA ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જીત મેળવીને ટાઇટલ કબજે કર્યું હતું.
JSCA ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલ ટક્કર 10 નવેમ્બરના રોજ રમાવાની હતી પરંતુ ખરાબ લાઈટિંગના કારણે તે દિવસે માત્ર એક જ મેચ રમાઈ હતી. ત્યારબાદ એ નક્કી થયું કે. આગામી મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ધોની પહેલા સેટમાં તો આગળ હતો બીજા સેટમાં તેણે જીત સાથે ખિતાબ પર કબ્જો કર્યો હતો.
@msdhoni born to winning trophies ❤️❤️🏆#Dhoni #msdhonigoat pic.twitter.com/g6CcMvYJy7
— màñâß mîßhrá (@manasmishra157) November 15, 2022
ધોની JSCA ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. સુમિત બજાજ તેનો પાટનર હતો. જેની સાથે મળી ધોનીએ ટેનિસ કોર્ટ પર પોતાને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી લખી. ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધોની અને બજાજની જોડીએ રોહિત અને વિનીતની ટીમને સીધા સેટમાં હરાવ્યા હતા.
ધોનીના ચાહકો માટે તેનું ટેનિસ ટૂર્નામેન્ટમાં જીતવું એક ખુશીની વાત છે. ત્યારબાદ જે સમાચારો સામે આવ્યા છે તે વધુ શાનદાર છે. ઈંગ્લેન્ડની એક વેબસાઈટ ટેલીગ્રાફ મુજબ ધોનીની ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ શકે છે. અહેવાલો છે કે, બીસીસીઆઈએ ભારતીય ટીમ માટે ધોનીના અનુભવ અને સેવાઓનો ફાયદો ઉઠાવવા વિશે વિચારી રહી હતી.જેથી ટીમ ICC ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમી શકે.
શક્ય છે કે, ધોની જ્યારથી આઈપીએલમાંથી રિટાયર થશે તો ત્યારબાદ બીસીસીઆઈ તેની સાથે વાત કરી શકે છે. ધોનીનો રોલ કાંઈ ખાસ ખેલાડીઓ માટે ફાયદો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ટી20 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો.