Mohammed Siraj ને પિતાના મોત બાદ સંઘર્ષના સમયમાં સાથી ખેલાડીઓએ નહી પરંતુ નિતીન પટેલે આપ્યો હતો સાથ

|

Aug 19, 2021 | 8:00 AM

ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની તાજેતરની જીત દરમિયાન આઠ વિકેટ લઈને મોહમ્મદ સિરાજે બતાવ્યું છે, કે ઓસ્ટ્રેલિયામાં તેની સફળતા એક તુક્કો નહોતી.

Mohammed Siraj ને પિતાના મોત બાદ સંઘર્ષના સમયમાં સાથી ખેલાડીઓએ નહી પરંતુ નિતીન પટેલે આપ્યો હતો સાથ
Mohammed Siraj

Follow us on

પહેલા ઓસ્ટ્રેલિયામાં અને બાદમાં ઇંગ્લેન્ડમાં પોતાના પ્રદર્શનથી સૌ કોઇને આંજી દીધા છે. સાથે જ પોતે લાંબી રેસનો ઘોડો હોવાના સંકેત પણ ક્રિકેટ ચાહકોને આપી દીધા છે. ભારતીય ઝડપી બોલર મહંમદ સિરાજ (Mohammed Siraj) ની આ કહાની છે. જે ખૂબ જ સુંદર કહાની છે. જોકે તેની આ કહાનીમાં થોડુક દુઃખ અને સફળતાની ખૂબ ખુશીઓ ભરેલી છે. લોર્ડઝ ટેસ્ટ (Lords Test) મેચમાં ભારતની જીત દરમ્યાન 8 વિકેટ તેણે હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટ (Indian Cricket) પર લખી એક બુકમાં તેના વિશે લખવામાં આવ્યુ છે.

નવી બુક મિશન ડોમિનેશનઃ એન અનફિન્શ્ડ ક્વેસ્ટમાં તેમના વિશે લખવામાં આવ્યુ છે. બોરિયા મજબૂદાર અને કુશાન સરકાર તરફથી લખવામાં આવેલી બુકમાં બતાવવામાં આવ્યુ છે કે, ભારતીય ટીમને હંમેશાથી ખ્યાલ હતો કે, સિરાજની અંદર સફળતા હાંસલ કરવાનો જુસ્સો છે. કારણ કે તેમણે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન જોયુ હતુ, જ્યારે બિમારી બાદ તેમના પિતાનુ નિધન થઇ ગયુ હતુ.

પુસ્તક મુજબ, નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ફરજિયાત 14 દિવસના ક્વોરન્ટાઇન દરમ્યાન સિરાજના પિતાનું અવસાન થયું હતું. મતલબ કે આ સમયગાળા દરમિયાન તેના સાથી ખેલાડીઓમાંથી કોઈ પણ તેના રૂમમાં જઈને દુઃખ વહેંચી શક્યો નહીં. તે સમયે, પોલીસકર્મીઓ દરેકના રૂમની બહાર ઉભા હતા. જેથી તેઓ ભારતીય ખેલાડીઓ નિયમોનું ઉલ્લંઘન ન કરે. તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. જાણે કે તેઓ ગુનેગારો હોય જે કોવિડને ઓસ્ટ્રેલિયા લાવી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

જેના પરિણામે ટીમના સાથીઓ તેની સાથે દિવસભર વીડિયો કોલ પર વાત કરતા. તેઓ ચિંતિત હતા કે તે કંઈક ખોટું ન કરે અથવા પોતાને નુકસાન પહોંચાડી ન દે. માત્ર ફિઝિયો જ તેના રૂમમાં સારવાર માટે જઈ શકતા હતા. નીતિન પટેલ અંદર જઇ આ યુવાન ખેલાડીનું દુઃખનો હિસ્સો બનતા હતા અને તેને સંભાળી લેતા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 13 વિકેટ મેળવી હતી

પુસ્તક અનુસાર, સિરાજ અનેક પ્રસંગોએ તૂટી પડ્યો, જે સ્વાભાવિક હતો, પરંતુ તેણે ક્યારેય હાર માની ન હતી. તે ભારત માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પિતાની ઈચ્છા પૂરી કરવા માંગતો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન જ્યારે તેને તક મળી, ત્યારે તે તેને જવા દેવા માંગતો ન હતો.

સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 13 વિકેટ લઈને રાતોરાત સ્ટાર બની ગયો હતો. તે શ્રેણી દરમ્યાન સિરાજ ભારતનો સૌથી સફળ બોલર હતો. પરંતુ ટેસ્ટ ડેબ્યૂ પહેલા સિરાજે ભારત માટે T20 અને વનડે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેને વધારે સફળતા મળી નથી.

પુસ્તક વાંચે છે, ‘તેણે અમને કહ્યું કે ડેબ્યુમાં નિષ્ફળ થઈને, તે પોતાની જાતને કોશી રહ્યો હતો. તે વધુ મહેનત કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે હું મારી જાતને કહી રહ્યો હતો કે, મેં વ્હાઇટ બોલ ક્રિકેટમાં કંઈ યોગ્ય કર્યું નથી અને હવે ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન જેવા બેટ્સમેન છે. જેમની સામે મને ઇન્ડિયા એ માટે સફળતા મળી હતી. તો હું આંતરરાષ્ટ્રીય સ્તરે આવું કેમ ન કરી શકું? પછી પાછા વળી જવાનો કોઈ અર્થ નહોતો.

 

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર

Next Article