Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ

|

Dec 10, 2021 | 7:19 PM

કેટલાક ક્રિકેટરો વિરાટ કોહલી (Virat Kohli) ને ODI કેપ્ટનશીપથી હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે તો કેટલાક માને છે કે તે ટીમના પક્ષમાં નથી.

Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ
Indian Cricket Team

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) ને વનડેની કેપ્ટનશીપથી હટાવ્યા બાદ ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો તેને યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે તો કેટલાક માને છે કે વિરાટ કોહલીને હટાવવો યોગ્ય નિર્ણય નથી. 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ફાસ્ટ બોલર મદન લાલે (Madan Lal) પણ વિરાટ કોહલી પાસેથી ODIની કેપ્ટનશીપ છીનવી લેવા પર પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે ટીમ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ટીમને તોડવી ખૂબ જ સરળ છે.

મીડિયા રિપોર્ટસમાં એક વાતચીતમાં મદન લાલે કહ્યું, ‘મને ખબર નથી કે પસંદગીકારો શું વિચારે છે. વિરાટ કોહલી પરિણામ આપી રહ્યો હતો તો તેને કેમ હટાવવામાં આવ્યો? હું સમજી શકું છું કે તેણે T20 ક્રિકેટમાંથી કેપ્ટનશીપ કેમ છોડી. ક્રિકેટ ઘણું રમાઈ રહ્યું હતું અને વિરાટ વનડે અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે તમે સફળ થાવ ત્યારે પણ તમને કેપ્ટનશીપથી દૂર કરવી મારી સમજની બહાર છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિરાટને 2023 વર્લ્ડ કપ સુધી તક મળવી જોઈતી હતી

મદન લાલે કહ્યું કે વિરાટ કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટનશિપનો હકદાર હતો. મદન લાલે કહ્યું, ‘મને લાગ્યું કે વિરાટ કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટનશિપ કરશે. ટીમ બનાવવી બહુ મુશ્કેલ છે પણ તેને તોડવી સહેલી છે. મદન લાલે એમ પણ કહ્યું કે જ્યારે ધોનીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે તે ODI અને T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, તો શું સમસ્યા થઈ હશે.

મદનલાલે કહ્યું, ‘મને સમજાતું નથી કે મૂંઝવણ ક્યાંથી ઊભી થઈ હશે. દરેક કેપ્ટનની કેપ્ટનશીપ કરવાની રીત અલગ હોય છે. ટેસ્ટ અને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં કપ્તાની અલગ છે. વિરાટ-રોહિતની પોતાની સ્ટાઈલ છે. ધોનીની શૈલી અલગ હતી. ઈન્ટરનેશનલ લેવલે માત્ર પ્રોફેશનલ ક્રિકેટની જ વાત થવી જોઈએ બીજું કંઈ નહીં.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલીએ પોતે T20 ની કેપ્ટનશીપ છોડી દીધી હતી જ્યારે BCCI આ ઈચ્છતું ન હતું. આ પછી બોર્ડે તેને ODI કપ્તાનીમાંથી હટાવવાનો નિર્ણય લીધો કારણ કે તે સફેદ બોલની રમતમાં માત્ર એક જ કેપ્ટન ઈચ્છે છે જે હવે રોહિત શર્મા (Rohit Sharma) છે.

 

આ પણ વાંચોઃ  IND VS SA: ટીમ ઇન્ડિયાને ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષીત રાખવા માટે દક્ષિણ આફ્રિકાનો ખાસ પ્લાન, આલીશાન રિસોર્ટ સીલ

 

આ પણ વાંચોઃ Ashes 2021: ઇંગ્લેન્ડના આ બે દિગ્ગજ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં જૂનિયરોને પાણી પિવડાવતા નજર આવ્યા, તસ્વીરો થઇ વાયરલ

Published On - 7:17 pm, Fri, 10 December 21

Next Article