કેએલ રાહુલ (KL Rahul) ના નેતૃત્વમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે શુક્રવારે KKR સામેની મેચ ખૂબ મહત્વની છે. તેમની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે પંજાબે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. બીજી બાજુ, KKR ની ટીમ બીજા તબક્કામાં તેમના કમબેકથી ખુશ થશે, જે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ફોરમાં છે. KKR એ 11 માંથી પાંચ મેચ જીતી છે અને 10 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. બીજી તરફ પંજાબ કિંગ્સ 11 મેચમાં ચાર જીત સાથે છઠ્ઠા સ્થાને છે.
કેએલ રાહુલની પંજાબ ટીમ માટે પ્લે ઓફની રેસમાં રહેવું એ ‘કરો અથવા મરો’ મેચ હશે. મુંબઈ ઈન્ડીયન્સના હાથે હાર બાદ રાહુલે સ્વીકાર્યું કે, તેમની ટીમ દબાણ હેઠળ સારી રીતે રમી રહી નથી. તેમને પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. મિડલ ઓર્ડરના ખરાબ ફોર્મની પણ ટીમના પ્રદર્શન પર અસર પડી છે.
રાહુલ (422 રન) અને મયંક અગ્રવાલ (332) સિવાય કોઈ પણ બેટ્સમેન પ્રભાવિત કરી શક્યો નથી. બીજી બાજુ, પંજાબ માટે બિશ્નોઈ (નવ વિકેટ) સિવાય કોઈ પણ બોલર બેટ્સમેનોને મુશ્કેલીમાં નાખી શક્યો નથી. મોહમ્મદ શમીએ 14 અને અર્શદીપ સિંહે 13 વિકેટ લીધી હતી પરંતુ બંને મોંઘા સાબિત થયા છે. વેંકટેશે KKR માટે 144 પ્લસના સ્ટ્રાઇક રેટથી 126 રન બનાવ્યા છે. જો તે શામી અને અર્શદીપનો પ્રથમ સ્પેલ રમી લે છે, તો તે બિશ્નોઈ અને હરપ્રીત બ્રારનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (PBKS vs KKR) IPL 2021 ની 45 મી મેચ 1, ઓક્ટોબર, શુક્રવારે રમાશે.
દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (PBKS vs KKR) મેચ રમાશે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (PBKS vs KKR) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (PBKS vs KKR) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (PBKS vs KKR) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.