IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજે (Keshav Maharaj) ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયા પર મળેલી મોટી જીત પર ખુશી વ્યક્ત કરી, તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ જય શ્રી રામ, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ
South Africa Cricket Team
| Edited By: | Updated on: Jan 25, 2022 | 9:19 AM

દક્ષિણ આફ્રિકાએ ODI શ્રેણી (India vs South Africa) માં જે રીતે ટીમ ઈન્ડિયાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો, તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. સાઉથ આફ્રિકાને ટેસ્ટ સિરીઝથી જ ઓછું આંકવામાં આવી રહ્યું હતું, પરંતુ તેના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું અને ત્યાર બાદ વનડે સિરીઝ પણ એકતરફી જીતી લીધી. ODI શ્રેણીની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની જીતમાં ડાબોડી સ્પિનર ​​કેશવ મહારાજે (Keshav Maharaj) મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ODI સિરીઝમાં જીત બાદ કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં કેશવ મહાજાએ ભારતની જીત બાદ જય શ્રી રામ લખ્યું હતું.

કેશવ મહારાજે લખ્યું, ‘શું હતી શ્રેણી, આ ટીમને ગર્વ છે કે આ ટીમ કેટલી આગળ આવી છે. હવે પછીની શ્રેણીની તૈયારી કરવાનો સમય છે. જય શ્રી રામ. તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ ભલે દક્ષિણ આફ્રિકામાં રહેતા હોય પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. કેશવ મહારાજ નિયમીત મંદિરમાં જતા રહે છે અને તેઓ હનુમાનના પરમ ભક્ત છે.

વિરાટ કોહલીને 2 વખત આઉટ કર્યો હતો

મહારાજે ODI સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. કેશવ મહારાજે વનડે સિરીઝમાં માત્ર 3 વિકેટ લીધી હતી પરંતુ તેણે બે વખત વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. પાર્લમાં રમાયેલી બીજી વનડેમાં તેણે વિરાટ સાથે શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્રીજી મેચમાં પણ તેણે વિરાટને પોતાની સ્પિનમાં ફસાવીને દક્ષિણ આફ્રિકાની જીત નિશ્ચિત કરી હતી. પ્રથમ વનડેમાં કેશવ મહારાજે શિખર ધવનની મહત્વની વિકેટ લીધી હતી. કેશવ મહારાજ ODI શ્રેણીના સૌથી વધુ કરકસર ભર્યો બોલર હતા. તેણે 3 મેચમાં પ્રતિ ઓવર માત્ર 4.58 રન જ ખર્ચ્યા.

કેશવ મહારાજનો સંબંધ સુલતાનપુર સાથે

યુપીના સુલતાનપુરમાં કેશવ મહારાજના પૂર્વજો રહેતા હતા. 1874 માં, કેશવ મહારાજના પિતાના દાદા ડરબનમાં સ્થાયી થયા. કેશવ મહારાજના પિતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમનો પરિવાર ડરબનમાં રહેતો હોવા છતાં પણ તેઓ ભારતની સંસ્કૃતિમાં વિશ્વાસ રાખે છે અને તમામ તહેવારો ઉજવે છે. કેશવ મહારાજની બહેન તરિશ્માએ શ્રીલંકાના નાગરિક સાથે લગ્ન કર્યા હતા.

કેશવ મહારાજની બીજી ખાસ વાત એ છે કે જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં જ કિરણ મોરેને મળ્યો હતો. તે દરમિયાન કિરણ મોરેએ ભવિષ્યવાણી કરી હતી કે મહારાજ એક દિવસ દક્ષિણ આફ્રિકા માટે રમશે જે સાચી સાબિત થઈ.

 

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચોઃ Sports: 2022 ફોર્મ્યુલા રિજનલ એશિયન ચૅમ્પિયનશિપમાં મુંબઈ ફાલ્કન્સે શાનદાર શરૂઆત કરી

Published On - 9:12 am, Tue, 25 January 22