Virat Kohli: વિરાટ કોહલી આરપારની લડાઇ લડવા તલવાર ખેંચીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપથી હટવા તૈયાર છે?

|

Dec 15, 2021 | 8:59 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના ODI કેપ્ટનશીપથી હટાવવાના તમામ દાવાઓને ફગાવ્યા છે અને હવે આ મામલો ગંભીર બની ગયો છે.

Virat Kohli: વિરાટ કોહલી આરપારની લડાઇ લડવા તલવાર ખેંચીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપથી હટવા તૈયાર છે?
Sourav Ganguly-Virat Kohli

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) એ અત્યાર સુધીમાં 22-યાર્ડની પટ્ટી અને 70 યાર્ડના સર્કલમાં 70 સદી ફટકારી છે. વિરાટ કોહલીના બેટમાંથી આવી અસંખ્ય ઇનિંગ્સ નીકળી છે, જેના આધારે ટીમ ઇન્ડિયા (Team India) જીતી છે. પરંતુ એ જ વિરાટ કોહલીએ બુધવારે મેદાનની બહાર એક ઇનિંગ રમી જે તેની આખી કારકિર્દી માટે ભારે છે. પોતાની બેટિંગથી ચર્ચામાં રહેનાર વિરાટ હવે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયો છે. સાઉથ આફ્રિકાના પ્રવાસે (India Tour Of South Africa) જતા પહેલા વિરાટ કોહલીએ ઘણી એવી વાતો કહી જેની કદાચ કોઈને અપેક્ષા ન હતી.

હાલમાં જ વિરાટ કોહલીને ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે પછી પહેલીવાર મીડિયાની સામે BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના તે શબ્દો ખોટા હતા જે તે ડંકાની ચોટ પર કહી રહ્યો છે.

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ODI કેપ્ટનશીપથી હટાવવાના મુદ્દે વાત કરી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું કે કેવી રીતે તેને અચાનક ODI કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો. વિરાટે રોહિત શર્મા સાથેના સંબંધોને લઈને મોટી વાત કરી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

વિરાટ અને BCCI વચ્ચે લડાઈ!

ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના નિવેદનને સીધો સટ્ટ રદિયો આપ્યો હતો જેમાં તેમણે (ગાંગુલી) દાવો કર્યો હતો કે તે ઈચ્છતા છે કે વિરાટ T20 કેપ્ટન તરીકે ચાલુ રહે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે કહ્યું કે તેણે બોર્ડને T20 કેપ્ટનશીપ છોડવાની વાત સીધી કહી દીધી હતી અને તેનું સ્વાગત કર્યું હતું.

કોહલીએ કહ્યું, ‘8મી ડિસેમ્બરે ટેસ્ટ શ્રેણી માટે પસંદગીની બેઠકના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે પહેલા T20 કેપ્ટનશિપ અંગેના મારા નિર્ણયની જાહેરાત બાદથી મારી સાથે કોઈ સંપર્ક થયો નથી.’

પૂર્વ વ્હાઇટબોલ કેપ્ટન કોહલીએ કહ્યું, ‘મુખ્ય પસંદગીકારે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરી જેના પર અમે બંને સંમત થયા. સમાપ્ત કરતા પહેલા મને કહેવામાં આવ્યું કે પાંચ પસંદગીકારોએ નિર્ણય લીધો છે કે હું વન-ડે ઈન્ટરનેશનલ કપ્તાન નહીં બનીશ જેના માટે મેં કહ્યું ‘ઠીક છે, વાંધો નહીં’.

 

બેફિકર વિરાટ!

વિરાટ કોહલીના આ નિવેદન બાદ BCCIમાં હલચલ મચી ગઈ હતી અને સમાચાર આવ્યા હતા કે ચીફ સિલેક્ટર ચેતન શર્મા પ્રેસ કોન્ફરન્સ કરશે. જો કે, એવું બન્યું નહીં અને આ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રાખવામાં આવી. સ્પષ્ટ છે કે વિરાટ કોહલીના નિવેદનથી BCCI હચમચી ઉઠ્યું છે. ખુદ વિરાટ કોહલીના શબ્દો પરથી લાગે છે કે તેને હવે બીસીસીઆઈનો કોઈ ડર નથી.

વિરાટ કોહલીએ વન-ઓન-વન લડાઈ માટે તૈયારી કરી લીધી છે. વિરાટે જે રીતે બીસીસીઆઈને આખી દુનિયાની સામે ખોટું ગણાવ્યું છે તે જોઈને લાગે છે કે તે તેની ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડવા તૈયાર છે. વિરાટ કોહલીએ લડાઈ માટે તલવાર ઉપાડી છે, પરંતુ એ માની લો કે આ લડાઈમાં ભારતીય ક્રિકેટની હાર દેખાઈ રહી છે.

 

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

 

આ પણ વાંચોઃ Sports: કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગાંધીનગર સહિતના SAI કેન્દ્રોમાં યૌન શૌષણની ફરિયાદોને લઇને આપી મહત્વની જાણકારી, જાણો શુ કહ્યુ

Published On - 8:53 pm, Wed, 15 December 21

Next Article