Irani Cup : બીમાર હોવા છતાં શાર્દુલ ઠાકુરે કરી મજબૂત બેટિંગ, બાદમાં મેદાનથી સીધો પહોંચ્યો હોસ્પિટલ

|

Oct 03, 2024 | 9:49 PM

શાર્દુલ ઠાકુરને ઈરાની કપ મેદાનમાંથી લખનૌની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. શાર્દુલે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પ્રથમ દાવમાં મુંબઈ તરફથી 36 રન બનાવ્યા હતા. તેણે સરફરાઝ સાથે નવમી વિકેટ માટે મોટી ભાગીદારી પણ કરી હતી.

Irani Cup : બીમાર હોવા છતાં શાર્દુલ ઠાકુરે કરી મજબૂત બેટિંગ, બાદમાં મેદાનથી સીધો પહોંચ્યો હોસ્પિટલ
Shardul Thakur
Image Credit source: Tom Jenkins/Getty Images

Follow us on

ઈરાની કપ 2024માં મુંબઈ તરફથી રમતા શાર્દુલ ઠાકુરને પહેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર બાદ તેને ત્યાંથી રજા આપવામાં આવી હતી. મેચના બીજા દિવસે શાર્દુલની બેટિંગ બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે શાર્દુલને ખૂબ તાવ હતો. તેણે તાવ છતાં પણ બેટિંગ કરી હતી. પરંતુ બેટિંગ બાદ તેને લખનૌ હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. મુંબઈ અને બાકીના ભારત વચ્ચે ઈરાની કપની મેચ લખનૌમાં જ રમાઈ રહી છે.

શાર્દુલે સરફરાઝ સાથે 73 રન જોડ્યા

શાર્દુલ ઠાકુરે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે 9મી વિકેટ માટે સરફરાઝ ખાન સાથે 73 રનની ભાગીદારી કરી હતી. પરંતુ, આ ભાગીદારી દરમિયાન તેની હાલત ખરાબ જોવા મળી હતી. તેની સારવાર માટે તેને બેટિંગ દરમિયાન બે વખત બ્રેક લેવો પડ્યો હતો. મુંબઈએ પ્રથમ દાવમાં 537 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેમાં નીચલા ક્રમમાં શાર્દુલ અને સરફરાઝ વચ્ચેની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

શાર્દુલ હોસ્પિટલની બહાર આવ્યો

શાર્દુલે ભારે તાવ હોવા છતાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે બીજા દિવસે તેની બેટિંગ ચાલુ રાખી હતી. પરંતુ દિવસનો ખેલ પૂરો થતાં જ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે આખી રાત રોકાયો અને પછી સવારે તેને રજા આપવામાં આવી. મુંબઈ ટીમના મેનેજર ભૂષણ પાટીલે કહ્યું કે શાર્દુલને તાવને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને હવે રજા આપવામાં આવી છે. મુંબઈની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં શાર્દુલ ઠાકુરના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ચિંતાની કોઈ વાત સામે આવી નથી. ત્રીજા દિવસની રમત પૂરી થતાં સુધીમાં શાર્દુલ ટીમ સાથે જોડાશે તેવા સમાચાર છે.

તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024

શાર્દુલની તબિયત કેવી રીતે બગડી?

શાર્દુલ ઠાકુરની તબિયત વિશે કહેવામાં આવી રહ્યું છે કે મેચના પહેલા દિવસથી જ તેની તબિયત સારી નહોતી. જો કે, તેમ છતાં તે મેચમાં રમ્યો હતો. લખનૌના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ઠાકુરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના પરિણામે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈના બાકીના ખેલાડીઓ ટીમ હોટલમાં ગયા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે 10 વર્ષ બાદ જીતી મેચ, પહેલીવાર કર્યું આ કારનામું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:46 pm, Thu, 3 October 24

Next Article