
IPL 2023 Final રવિવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ માટે ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ ક્રિકેટ ચાહકો ફાઈનલ જોવા માટે અમદાવાદ આવ્યા છે. આ દરમિયાન વરસાદનો માહોલ અમદાવાદમાં હોવાને લઈ ફાઈનલ મેચને લઈ ચિંતા સતાવી રહી છે. ક્વોલિફાયર 2 મેચમાં પણ વરસાદ વરસવાને લઈ નિર્ધારિત સમય કરતા મેચ મોડી શરુ થઈ હતી. હવે જો ફાઈનલ મેચમાં પણ વરસાદ વરસે તો મેચ મોડી થવાની જ નહીં પરંતુ એ સિવાય મેચ યોજાવાને લઈ પણ ચિંતા ક્રિકેટ રસિયાઓને સતાવી રહી છે. જોકે વરસાદ વરસી જાય અને ફાઈનલમાં વિલન બને તો આ માટે પહેલાથી જ BCCI એ નિયમો ઘડી રાખ્યા છે.
BCCI એ IPL ના આયોજનને લઈ પહેલાથી જ વરસાદ અને અન્ય પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને નિયમો ઘડી રાખ્યા હોય છે. જેમ કે લીગ તબક્કામાં વરસાદ વરસે તો તેના માટે અલગ નિયમો છે. તો વળી પ્લેઓફની મેચમાં પણ વરસાદ વરસવાની સ્થિતીમાં અલગ નિયમો છે અને ફાઈનલ મેચ માટે પણ વિશેષ નિયમો સાથેની તૈયારીઓ રાખવામાં આવેલી હોય છે. અગાઉ લીગ તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં વરસાદ વરસવાની સ્થિતીમાં મેચ રદ થઈ હતી. બંને ટીમોને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.
હવે તમને એમ થાય કે, ખૂબ જ પ્રયાસ બાદ મેચની ટિકિટ મેળવી હોય અને આ માટે ગુજરાતના ખૂણે ખૂણે થી કે પછી ભારતના અન્ય રાજ્ય કે વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હોય અને વરસાદ વરસી જાય તો મેચની મજા બગડી જાય. તો વળી ટીવી કે ઓનલાઈન સ્ટ્રીમીંગ વડે મેચ જોવાનુ આયોજન કર્યુ હોય અને વરસાદ વરસે તો પણ મેચની મજા બગડી જાય. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના આયોજન સાથે ખાસ વ્યવસ્થા નિયમો સાથે તૈયાર કરી રાખી છે. જે મુજબ ફાઈનલમાં વરસાદ વરસે તો પણ સિઝનની ચેમ્પિયન ટીમ માટેનુ પરિણામ સામે આવી શકે.
Published On - 11:49 am, Sat, 27 May 23